SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / પ્રસ્તાવના આશયો સમજવાની પદ્ધતિ શીખવી, ગ્રંથ અંતર્ગત આવતા પદાર્થોના અપૂર્વ અપૂર્વ રહસ્યો બતાવવા દ્વારા મને આ કાર્યમાં સતત ઉત્સાહિત રાખી, વચ્ચે વચ્ચે અપ્રમાદ-ઉપયોગ-વીતરાગતા-અસંગભાવ-સંવેગનિર્વેદ ઇત્યાદિ શબ્દપ્રયોગો દ્વારા મારા આત્માને તે તે શબ્દના ભાવોથી વાસિત કર્યો, તેમ જ મને સંવેગથી સિંચિત કરી... વધુ શું કહું ? મારામાં શ્રુત પ્રત્યેની પ્રીતિને જીવંત અને વૃદ્ધિંગત કરવામાં તેઓશ્રીનો અનન્ય ઉપકાર છે, જેને હું ક્યારેય વિસરી શકું તેમ નથી. આ સિવાય અન્ય પણ જે જે ઉપકારીઓના ઉપકારોને ઝીલી ઝીલીને હું આ કક્ષાએ પહોંચેલ છું, તે સર્વ મહાનુભાવોને આ અવસરે યાદ કરીને હું તેઓની અત્યંત ઉપકૃતતા અનુભવું છું. ૨ બસ, પ્રાંતે... સર્વ ઉપકારી મહાનુભાવો મારા પર તે પ્રકારના અંતરના આશીર્વાદ-કૃપા વરસાવો, જેના દ્વારા અપૂર્વ અપૂર્વ શ્રુતનું અવગાહન કરી.કરીને હું શાસ્ત્રના રહસ્યોને સ્પર્શે-ઉચિત કૃત્યો કરવા દ્વારા સ્વજીવનમાં પરિણમાવું-આત્મસાત્ કરું-સ્વપરનું એકાંતે કલ્યાણ કરવા સક્ષમ બનું. સાથે સાથે... પ્રસ્તુત ગ્રંથના સંપાદનકાર્યરૂપ સુકૃતથી ઉપાર્જિત થયેલ પુણ્યના ફળરૂપે મારી એક પ્રશસ્ત યાચના છે કે સંલેખનાવસ્તુમાં સમાધિમરણ આદિની પ્રાપ્તિમાં વિઘ્નભૂત એવી કાંદર્ષિકી આદિ અશુભભાવનાઓનું સ્વરૂપ બતાવીને તેની જે અનર્થકતા બતાવેલ છે, તેનું હું યથાસ્થિત અવધારણ કરીને સંયમજીવનમાં અતિચારમલના-ત્રુટિનું કારણ એવી પ્રમાદથી કે અજ્ઞાનથી સેવાતી કુભાવનાઓને શોંધી શોધીને દૂર કરવા દ્વારા આત્મા ૫૨ અનાદિકાળથી પડેલા ગાઢ કુસંસ્કારોને મંદ-મંદતર કરું અને શ્રુતધર્મ-ચારિત્રધર્મના સંસ્કારોને આત્મા ૫૨ પથ્થરની લકીર તુલ્ય કોતરું, પુણ્યાનુબંધી પુણ્યના બંધ દ્વારા જન્માંતરમાં સુમાનુષત્વ અને સુદેવત્વ પ્રાપ્ત કરી ક્રમિક અભ્યુદય અને નિઃશ્રેયસને પ્રાપ્ત કરું, તેમ જ અનાદિકાળથી આત્માના ક્રૂરશત્રુભૂત દેહ-ઇન્દ્રિયમન અને તે ત્રણેયની પણ ઉત્પત્તિના મૂળ એવા કર્મથી સદા માટે મુક્ત બનું. એ જ મનોરથ સાથે .. “મારા મનના મનોરથ પૂરજો હું તો ભક્તિ ન છોડું તોરી ફૅ..." “એક જ અરમાન છે મને કે મારું જીવન ગુણીમય બને..." शुभं भवतु પરમ પૂજ્ય, પરમતારક, પરમારાધ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની ૫. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના ૫. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી શ્રા.સુદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧૨-૮-૨૦૧૦, ગુરુવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy