SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪છે. સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૮૮-૧૮૮૯, ૧૪૯૦ વળી ઉત્સર્પિણીકાળને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ વિચારીએ તો જેઓનો જન્મ બીજા-ત્રીજા કે ચોથા આરામાં થયો હોય તેઓ જિનકલ્પ સ્વીકારે છે, અન્ય નહીં, અને તેઓનો જિનકલ્પી સ્વરૂપે સદૂભાવ ત્રીજા, ચોથા આરામાં જ હોય છે. અહીં પ્રશ્ન થાય કે બીજા આરામાં જન્મેલ વ્યક્તિ ત્રીજા આરામાં કઈ રીતે જિનકલ્પ સ્વીકારે ? તેનો આશય એ છે કે ઉત્સર્પિણીકાળમાં ત્રીજા આરાના પ્રારંભમાં પ્રથમ તીર્થંકર ધર્મતીર્થની સ્થાપના કરે છે, તેથી જેઓ બીજા આરાના અંતમાં જન્મેલા હોય, તેઓ ત્રીજા આરામાં ધર્મતીર્થ સ્થપાયા પછી સંયમ ગ્રહણ કરીને જિનકલ્પ સ્વીકારી શકે છે, તેથી તેવા જિનકલ્પીને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ જન્મથી બીજાત્રીજા-ચોથા આરામાં, તેમ જ જિનકલ્પી સ્વરૂપે સદ્દભાવથી ત્રીજા-ચોથા આરામાં સંભવે છે. વળી ઉત્તરકુરુ આદિ સાત ક્ષેત્રોમાં અવસર્પિણી-ઉત્સર્પિણી હોતી નથી. તેથી તેવા અવસર્પિણીઉત્સર્પિણીથી શૂન્ય ક્ષેત્રોમાં સદા નિયત કાળ હોય છે અને તે ક્ષેત્રોમાં નિયત કાળના ચાર વિભાગો છે; તે નીચે પ્રમાણે – (૧) દેવકુરુ-ઉત્તરકુરુ - આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમસુષમા નામના પહેલા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૨) હરિવર્ષ-રમ્યફવર્ષ :- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમા નામના બીજા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૩) હૈમવત-હૈરણ્યવતઃ- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમદુઃષમા નામના ત્રીજા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૪) મહાવિદેહ :- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના દુઃષમસુષમા નામના ચોથા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. આ ચાર વિભાગોવાળાં સાત ક્ષેત્રોમાંથી પ્રથમનાં છ ક્ષેત્રો અકર્મભૂમિ છે અને સાતમું મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે; વળી તે ચોથા પ્રતિભાગવાળા મહાવિદેહ ક્ષેત્રમાં જિનકલ્પિક જન્મે છે, અન્ય ત્રણ પ્રતિભાગવાળાં ક્ષેત્રોમાં જિનકલ્પિક જન્મતા નથી, પરંતુ ચારેય પ્રતિભાગવાળાં સાતેય ક્ષેત્રોમાં સંહરણથી જિનકલ્પિક પ્રાપ્ત થાય છે. આમ, મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ હોવાથી ત્યાં જિનકલ્પિકો જન્મે છે અને જિનકલ્પ સ્વીકારે છે, તેથી મહાવિદેહ ક્ષેત્રમાં જિનકલ્પિકોની જન્મથી અને સભાવથી સ્થિતિ હોય; પરંતુ દેવકુરુ આદિ અન્ય છ ક્ષેત્રો અકર્મભૂમિ હોવાથી ત્યાં જિનકલ્પિક જન્મતા નથી અને જિનકલ્પ સ્વીકારતા નથી. તેથી છ ક્ષેત્રોમાં જિનકલ્પિકોની જન્મથી સ્થિતિ ન હોય, પરંતુ સંહરણને આશ્રયીને સદ્ભાવથી સ્થિતિ હોય. /૧૪૮૮/૧૪૮૯ી. અવતરણિકા : चारित्रद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ચારિત્રદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy