SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૮૮૮-૧૪૮૯ શાનેવળી ચતુર્થ જ પ્રતિભાગવાળા કાળમાં ઢોડું હોય છે=જિનકલ્પિક જન્મથી અને સદ્ભાવથી હોય છે; સંદિર અને સંહરણ હોતે છતે સન્વેનુંપત્તિમા=સર્વ=ચારેય, પ્રતિભાગોમાં દોડ્ર=હોય છે=જિનકલ્પિક સભાવથી હોય છે. * “ો' પાદપૂરણમાં છે. ગાથાર્થ: જ્યાં અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એવા કાળવાળા ક્ષેત્રમાં, વળી ચોથા જ પ્રતિભાગવાળા કાળમાં જિનકલ્પિક જન્મથી અને સભાવથી હોય છે; અને સંહરણ હોતે છતે સર્વ પ્રતિભાગોમાં જિનકલ્પિક સભાવથી હોય છે. ટીકાઃ ___नावसपिण्युत्सप्पिणीति उभयशून्ये स्थिते काले भवति त्वयं जन्मतः सद्भावतश्च, प्रतिभागे चतुर्थ एव काले दुष्पमसुषमारूपे-विदेहेषु, प्रतिभागेषु च केवलेषु (?कालेषु) संहरणे सति सद्भावमाश्रित्य भवति सर्वेषूत्तरकुर्वादिगतेष्विति गाथार्थः ॥१४८९॥ * ટીકામાં વત્તેજુ છે તેને સ્થાને જોવું હોય તેમ ભાસે છે. ટીકાર્થ: અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એ પ્રકારના ઉભયથી શૂન્ય એવા સ્થિત કાળમાં=અવસર્પિણી અને ઉત્સર્પિણી એ બંનેથી રહિત એવો સ્થિર કાળ જ્યાં છે તેવા ક્ષેત્રમાં, વળી આકજિનકલ્પિક, જન્મથી અને સદ્ભાવથી હોય છે. દુઃષમ સુષમારૂપ ચોથા જ પ્રતિભાગવાળા કાળમાં દુઃષમસુષમારૂપ ચોથા જ વિભાગવાળો અવસ્થિત કાળ છે જ્યાં તેવા ક્ષેત્રમાં વિદેહોમાં પાંચ મહાવિદેહોમાં, જિનકલ્પિકની જન્મને આશ્રયીને સ્થિતિ હોય છે. અને સંહરણ હોતે છતે ઉત્તરકુરુ આદિગત સર્વ પ્રતિભાગવાળા કાળમાં જિનકલ્પિકનું કોઈક રીતે સંહરણ થયે છતે ઉત્તરકુરુ આદિ સાત ક્ષેત્રવિષયક ચારેય વિભાગવાળા કાળમાં, સદ્ભાવને આશ્રયીને હોય છે=જિનકલ્પિકની સ્થિતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ' ભાવાર્થ : કાળને આશ્રયીને કયા ક્ષેત્રમાં જિનકલ્પિકની જન્મથી સ્થિતિ છે? અને કયા ક્ષેત્રમાં જિનકલ્પિકની સભાવથી સ્થિતિ છે ? તે બતાવે છે – પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ હોય છે. તેમાંથી અવસર્પિણીકાળને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ વિચારીએ તો જેઓનો જન્મ ત્રીજા કે ચોથા આરામાં થયો હોય તેઓ જ જિનકલ્પ સ્વીકારે છે, અન્ય નહીં, અને તેઓનો ત્રીજા-ચોથા આરામાં કે પાંચમા આરામાં પણ જિનકલ્પી સ્વરૂપે સદ્ભાવ હોય છે; કેમ કે ચોથા આરામાં જન્મેલા સાધુ પાંચમા આરામાં જિનકલ્પ સ્વીકારે અથવા ચોથા આરાના જિનકલ્પી પાંચમા આરાનો પ્રારંભ થયા પછી વિદ્યમાન હોય, તેવું બને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy