SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૮૮-૧૪૮૯ ૧૪૫ ગાથાર્થ : અવસર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં મનુષ્યભવની પ્રાપ્તિરૂપ જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજા-ચોથા-પાંચમા આરામાં સદભાવને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય; ઉત્સર્પિણીમાં બીજા-ત્રીજા-ચોથા આરામાં જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજાચોથા આરામાં સદભાવને આશ્રયીન જિનકલ્પિકની સ્થિતિ હોય. ટીકા : ____ अवसपिण्यां काले द्वयोः सुषमदुष्षमदुष्षमसुषमयोर्जन्मतो-जन्माश्रित्यास्य स्थितिः, तिसृषुसुषमदुष्षमदुष्षमसुषमदुष्षमासु सद्भावेनेति स्वरूपतयाऽस्य स्थितिः, उत्सपिण्यां विपरीतोऽस्य कल्पः जन्मतः सद्भावतश्च । एतदुक्तं भवति-दुष्षमदुष्षमसुषमसुषमदुष्षमासु तिसृषु जन्मतः, दुष्षमसुषमसुषमदुष्षमयोस्तु द्वयोः सद्भावत एवेति गाथार्थः ॥१४८८॥ ટીકાર્ય : અવસર્પિણી કાલમાં=અવસર્પિણી કાળ જ્યાં છે તેવા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં, બેમાં=સુષમદુઃષમ અને દુઃષમસુષમામાં=સુષમદુઃષમા નામના ત્રીજા અને દુઃષમસુષમા નામના ચોથા આરામાં, જન્મથી જન્મને આશ્રયીને, આમની=જિનકલ્પિકની, સ્થિતિ હોય. ત્રણમાં સુષમદુઃષમ-દુઃષમસુષમ-દુઃષમામાં=સુષમદુઃષમા નામના ત્રીજા-દુઃષમ સુષમા નામના ચોથા અને દુઃષમા નામના પાંચમા આરામાં, સદ્ભાવથી=સ્વરૂપપણાથી= જિનકલ્પિકના સ્વરૂપપણાથી, આની જિનકલ્પિકની, સ્થિતિ હોય. ઉત્સર્પિણીમાં જન્મથી અને સભાવથી આનો વિપરીત કલ્પ છે=ઉત્સર્પિણીકાળ જ્યાં છે તેવા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જન્મ અને સદ્ભાવને આશ્રયીને જિનકલ્પીની અવસર્પિણીકાળવાળા ક્ષેત્રમાં બતાવી તેનાથી વિપરીત મર્યાદા છે. આ કહેવાયેલું થાય છે=ઉપરમાં કહ્યું કે ઉત્સર્પિણીકાળમાં જિનકલ્પિકનો વિપરીત કલ્પ છે એનાથી, હવે કહે છે એ કથન પ્રાપ્ત થાય છે – દુઃષમ-દુઃષમસુષમ-સુષમદુઃષમારૂપ ત્રણમાં–દુઃષમા નામના બીજા-દુઃષમસુષમા નામના ત્રીજાસુષમદુઃષમા નામના ચોથા : એ ત્રણ આરામાં, જન્મથી જિનકલ્પિકની સ્થિતિ હોય. વળી દુઃષમસુષમસુષમદુઃષમારૂપ બેમાં દુઃષમસુષમા નામના ત્રીજા અને સુષમદુઃષમા નામના ચોથા : એ બે આરામાં, સદ્ભાવથી જ જિનકલ્પિકની સ્થિતિ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : णोसप्पिणिउस्सप्पिणि होइ उ पलिभाग मो चउत्थम्मि । काले पलिभागेसु अ साहरणे होइ सव्वेसुं ॥१४८९॥ दारं ॥ અન્વયાર્થ : પોસMડિક્ષgિf=અવસર્પિણી-ઉત્સર્પિણી નથી (એવા કાળવાળા ક્ષેત્રમાં) ર૩સ્થષિ ૩પતિમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy