SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧, ૧૪૮૨ વળી તેઓની ભજના યુક્તિયુક્ત કેમ નથી? તે દર્શાવવા અર્થે ગાથા ૧૪૮૧ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે એક વીથીમાં એક દિવસે બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી જ કોઈક અન્ય ગ્રંથમાં પ્રાયઃ કરીને એક વસતિમાં રહેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કહી છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે એક વસતિમાં સાતથી ન્યૂન જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે તેઓ છ વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે, પરંતુ જયારે એક વસતિમાં સાત જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે તેઓ સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે. આથી નક્કી થાય કે એક વીથીમાં એક જ જિનકલ્પિક ભિક્ષાટન કરે છે, માટે અન્ય આચાર્યએ આ વિષયમાં કહેલ ભજના યુક્તિયુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે એક વસતિમાં સાત જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે એક વીથીમાં બે જિનકલ્પિકનું ભિક્ષાટન ન થાય તદર્થે, સાત વીથીઓની કલ્પના કરવા પાછળ શું પ્રયોજન છે? તે દર્શાવવા અર્થે ગાથા ૧૪૮૧ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – જિનકલ્પિક સાધુઓ સ્થવિરકલ્પિક સાધુઓની જેમ પરસ્પર સંઘાટક થઈને ભિક્ષાટન કરતા નથી. તેથી જો એક વસતિમાં સાત જિનકલ્પિકો રહ્યા હોય ત્યારે સાત વીથીઓની કલ્પના કરવામાં ન આવે તો, ત્રીજી પોરિસીમાં સાતેય જિનકલ્પિકો ભિક્ષાટન કરે ત્યારે, છમાંથી કોઈક એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન પ્રાપ્ત થાય, જેના કારણે ક્યારેક કોઈક ગૃહસ્થને તે મહાત્માઓ પ્રત્યે અનાદર થવાનો સંભવ રહે, તેથી પ્રવચનના ગુણકારક એવા અનાદરના પરિવાર માટે કોઈક અન્ય ગ્રંથમાં સાત જિનકલ્પિકો એક વસતિમાં રહ્યા હોય, ત્યારે તેઓને સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરવાનું કહેલ છે. આથી ફલિત થાય કે ગૃહસ્થોને સાધુ પ્રત્યે થતા ઈષદ્ પણ અનાદરનો પરિહાર કરવા માટે સાધુએ શક્ય ઉચિત યત્ન કરવો જોઈએ; કેમ કે સાધુ પ્રત્યેના ઈષદ્ પણ અનાદરથી ગૃહસ્થોને પાપબંધ થાય છે. આથી જિનકલ્પી સાધુઓ કોઈને પણ અનાદર થવાની સંભાવના હોય તેવી પ્રવૃત્તિનું પહેલેથી જ વારણ કરે છે. માટે જ તેઓ એક વસતિમાં સાત જણ રહ્યા હોય ત્યારે, સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે; જયારે ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિકોની જેમ ભિક્ષાટન કરે તો ગચ્છ સદાય અને સાધુઓના સ્વાધ્યાયનો ભંગ થાય. તેથી વિરકલ્પિક સાધુઓ કારણે એક વીથીમાં પણ પ્રતિદિન ભિક્ષાટન કરે છે; તોપણ, જયાં ગૃહસ્થોને સાધુ પ્રત્યે અનાદર થાય છે તેમ જણાતું હોય તો સ્થવિરકલ્પિકો તે સ્થાનનો પરિહાર કરે છે. ૧૪૭૮થી ૧૪૮૧il. અવતરણિકા : वीथीज्ञानोपायमाह - અવતરણિકાર્ય : વિથીના જ્ઞાનના ઉપાયને કહે છેeગાથા ૧૪૫૯માં કહેલ કે જિનકલ્પિક એક ક્ષેત્રમાં એક માસ વસે છે અને તે ક્ષેત્રમાં ગૃહોની શ્રેણિરૂપ છ વીથીઓની કલ્પના કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જિનકલ્પિકો છ વીથીઓની કલ્પના કઈ રીતે કરે છે? તેથી હવે વીથીઓને જાણવાના ઉપાયને બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy