SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૦૮ થી ૧૪૮૧ પ્રદેશાંતરમાં=કોઈક અન્ય આગમમાં, તેષાં આમની એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની, પ્રાય: પ્રાયઃ સત વીધ્ય: માતા સાત વીથીઓ કહેવાઈ છે. તે કારણથી અન્યોએ એક વીથીમાં જિનકલ્પિકના પ્રતિદિન અટનવિષયક કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે અન્વય છે. ઉત્થાન : એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી કોઈક પ્રદેશાંતરમાં સાત જિનકલ્પિકોની સાત વિથિીઓ કેમ કહેવાઈ છે ? તેમાં યુક્તિ બતાવે છે – ટીકાર્ય : મચીચર્સમાવેન અન્યોન્ય સંઘટ્ટને અભાવ હોવાથીજિનકલ્પિકોને સ્થવિરકલ્પિકોની જેમ પરસ્પર સંઘાટક થઈને કરાતા ભિક્ષાટનનો અભાવ હોવાથી, નિયમ– પ્રવરની ગુIક્ષાર મનવમાન થં નામ ભવેત્ ? નિયમથી પ્રવચનનું ગુણકારક એવું અનવમાન કઈ રીતે થાય? અર્થાતુ એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન થવાથી જિનશાસનનો ગુણને કરનારો એવો, અવમાન-અપમાન-અનાદર, ન અવમાન=અનવમાન= અનાદરનો અભાવ, કઈ રીતે થાય ? આથી જ એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની કોઈક પ્રદેશાંતરમાં પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે અન્વય છે. રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૭૮માં બે પ્રશ્નો કર્યા કે એક વસતિમાં કેટલા જિનકલ્પિકો વસે છે ? અને એક વસતિમાં વસેલા જિનકલ્પિકો એક વીથીમાં કેટલા જણ ભિક્ષાટન કરે છે? તેમાંથી પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા ૧૪૭૯માં ગ્રંથકારશ્રી કહે છે કે બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો વસે છે. અહીં “બાહ્ય” શબ્દથી એ પ્રાપ્ત થાય કે ઉપવનાદિ કોઈ બાહ્ય સ્થાનમાં કોઈક રીતે જિનકલ્પિકોનો યોગ થયો હોય, તો તે ઉપવનાદિરૂપ બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો વસે છે, પરંતુ કોઈક ગૃહસ્થના ઘરાદિ સ્થાનમાં સાત જિનકલ્પિકો વસતા નથી, એ પ્રમાણે ટીકામાં રહેલ “બાહ્ય' શબ્દનો અર્થ જણાય છે. આ રીતે એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકો સાત પહોર કાયોત્સર્ગમાં રહે છે અને એક પહોર ભિક્ષાટનાદિ કરે ત્યારે પણ પરસ્પર કાંઈ સંભાષણ કરતા નથી. વળી ગાથા ૧૪૭૮માં કરેલ બીજા પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા ૧૪૮૦માં ગ્રંથકારશ્રી કહે છે કે એક વીથીમાં એક જિનકલ્પિક પ્રતિદિન ભિક્ષાટન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે એક વસતિમાં સાત જિનકલ્પિકો વસેલા હોય, ત્યારે એક વીથીમાં પ્રતિદિન એક જિનકલ્પિકનું ભિક્ષાટન કઈ રીતે સંભવે? વસ્તુતઃ જિનકલ્પિકો સાત છે અને ભિક્ષાટન કરવાની વીથીઓ છ જ છે. એને સામે રાખીને કોઈ અન્ય આચાર્ય ભજનાને કહે છે, પરંતુ તેઓની તે ભજના યુક્તિયુક્ત નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy