SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૭, ૧૪૭૮ થી ૧૪૮૧ ૧૩૩ જાય અને ત્યાં ગુરુ આદિને ઉચિત ભિક્ષા પ્રાપ્ત ન થાય તો, ઉચિત ભિક્ષાના અભાવને કારણે શિષ્યોને ગુરુ યોગ્ય અનુશાસન આપી શકે નહીં, અને ગ્લાન સાધુઓ ઉચિત ભિક્ષાના અભાવને કારણે સંયમમાં ઉસ્થિત રહી શકે નહીં. આથી ગુરુ આદિને ઉચિત ભિક્ષા પ્રાપ્ત થાય તે માટે, ગચ્છવાસી સાધુઓ એક વીથીમાં પ્રતિદિન જવા છતાં અનેષણારૂપ દોષ પ્રાપ્ત ન થતો હોય, તો પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે. વળી આ ભિક્ષાટન સમભાવના પરિણામપૂર્વક કરે છે. આશય એ છે કે ગચ્છવાસી સાધુઓ એક વીથીમાં પ્રતિદિન ભિક્ષાટન સારી ભિક્ષાની પ્રાપ્તિના અર્થીપણાથી કરતા નથી, પરંતુ “નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થશે તો તેના દ્વારા સંયમમાં સુદઢ વ્યાપાર થવાથી સંયમવૃદ્ધિ થશે અને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત નહીં થાય તો તપોવૃદ્ધિ થશે” આમ વિચારીને ભિક્ષાની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ પ્રત્યે સમભાવ રાખીને નિર્દોષ ભિક્ષાપ્રાપ્તિની સંભાવના જણાય, તો પ્રતિદિન એક વીથીમાં પણ ભિક્ષા ગ્રહણ કરે છે. આમ, જિનાજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા હોવાથી ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિકોની જેમ જ વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરતા નથી, તોપણ તેઓને કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. //૧૪૭૭ અવતરણિકા : प्रासङ्गिकमेतत्, प्रस्तुतमेवाह - અવતરણિકાર્ય : આ=ગાથા ૧૪૭૫થી ૧૪૭૭માં કહ્યું કે, પ્રાસંગિક છે, પ્રસ્તુતને જ કહે છે=ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચ વક્તવ્યોમાંથી છેલ્લા વક્તવ્યરૂપ પ્રસ્તુતને જ કહે છે – ભાવાર્થ : ગાથા ૧૪૬૦ની અવતરણિકામાં કહેલ કે માસક·દ્વારમાં પ્રાસંગિકને કહે છે. તે પ્રાસંગિક કથનનાં પાંચ વક્તવ્યો ગાથા ૧૪૬૧માં બતાવ્યાં, તેમાંથી ચોદક અને નિર્વચનરૂપ ચોથા વક્તવ્યનું ગાથા ૧૪૭૩૧૪૭૪માં વર્ણન કરતાં કહ્યું કે શ્રુતાતિશયના યોગથી જિનકલ્પી ભગવાન પ્રચ્છન્ન પણ આધાકર્માદિ કૃત્યને જાણે જ છે. ત્યાં કોઈને શંકા થાય છે તો પછી જિનકલ્પી છ વીથીઓની કલ્પના કેમ કરે છે? તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૪૭૫-૧૪૭૬માં કર્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે તો પછી ગચ્છવાસી સાધુઓએ પણ છ વીથીઓની કલ્પના કરીને સાતમા દિવસે જ એક વીથીમાં જવું જોઈએ? તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૪૭૭માં કર્યું કે ગચ્છવાસી સાધુઓને એક વીથીમાં પ્રતિદિન પણ જવામાં કોઈ દોષ નથી. આ સર્વ કથન ગ્રંથકારશ્રીએ પ્રસંગથી કર્યું. હવે ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચમા વક્તવ્ય સ્વરૂપ એક વસતિમાં ઉત્કૃષ્ટથી કેટલા જનો હોય છે? એ રૂપ પ્રસ્તુતનું જ ગ્રંથકારશ્રી વર્ણન કરે છે – ગાથા : एवं तु ते अडंता वसही एक्काए कइ वसिज्जाहि । वीहीए अ अडंता एगाए कइ अडिज्जाहि ॥१४७८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy