SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા/ ગાથા ૧૪૭૭ ભાવાર્થ: ગાથા ૧૪૭પમાં કહ્યું કે જિનકલ્પિકો આરંભના વર્જન નિમિત્તે છ વીથીઓની કલ્પના કરીને સાતમા જ દિવસે એક વીથીમાં ભિક્ષાટન કરે છે, એ પહેલાં નહીં. આ પ્રમાણે નહીં કરતા એવા ગચ્છમાં વસનારા સ્થવિરકલ્પિક સાધુઓને સંયમની વિરાધનારૂપ દોષ થતો નથી, એને કહે છે – ગાથા : इअरे वाऽऽणाउ च्चिअ गुरुमाइनिमित्तओ पइदिणं पि । दोसं अपिच्छमाणा अडंति मज्झत्थभावेण ॥१४७७॥ અન્વચાઈ: રૂારે વિકઇતર પણ=ગચ્છવાસી સાધુઓ પણ, માઈIs fશ્વમ=આજ્ઞા હોવાથી જ ગુમાનમિત્તોત્ર ગુરુ આદિના નિમિત્તથી વોરં પિરછમાત્રદોષને નહીં જોતા એવા મામા=મધ્યસ્થભાવથી પવિvi પિકપ્રતિદિન પણ મતિ અટન કરે છે–એક વીથીમાં ભિક્ષાટન કરે છે. ગાથાર્થ : ગચ્છવાસી સાધુઓ પણ ભગવાનની આજ્ઞા હોવાથી જ ગુરુ આદિના નિમિત્તથી દોષને નહીં જોતા એવા મધ્યસ્થભાવથી પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે. ટીકાઃ इतरेऽपि गच्छवासिन आज्ञात एव निमित्तत्वाद् गुर्वादिनिमित्ततश्च हेतोः प्रतिदिवसमपि दोषमपश्यन्तः सन्तोऽनेषणारूपमटन्ति मध्यस्थभावेन-समतयेति गाथार्थः ॥१४७७॥ ટીકાર્થ: ઇતર પણ=ગચ્છવાસીઓ પણ=જિનકલ્પિકોથી અન્ય એવા ગચ્છમાં વસનારા સાધુઓ પણ, નિમિત્તપણું હોવાથી=સમભાવવૃદ્ધિનું નિમિત્તપણું હોવાથી, આજ્ઞાથી જ=ભગવાનની આજ્ઞાથી જ, અને ગુરુ આદિના નિમિત્તરૂપ હેતુથી અનેષણારૂપ દોષને નહીં જોતા છતા મધ્યસ્થભાવથી=સમપણાથી, પ્રતિદિવસ પણ અટન કરે છે=દરરોજ પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિક જેવી શક્તિવાળા નથી અને સમભાવની વૃદ્ધિ ન થાય તે રીતે બાહ્ય આચારોનું પાલન કરવાની ભગવાનની આજ્ઞા નથી. આથી સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યો દ્વારા સમભાવની વૃદ્ધિનો વ્યાઘાત ન થાય તે નિમિત્તથી ગચ્છવાસી સાધુઓને ભગવાનની આજ્ઞા છે કે ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર થઈ શકતો હોય તો પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરવું. વળી ગચ્છવાસી સાધુઓ ગુરુ આદિ નિમિત્તે પણ ભિક્ષાટન કરે છે. તેથી જો એક વીથીમાં પ્રતિદિન નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થતી હોવા છતાં પ્રતિદિન તે જ વીથીમાં ન જતાં અન્ય અન્ય વીથીમાં ભિક્ષા અર્થે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy