SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર/જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૦ થી ૧૪૬૯ ટીકાર્ચઃ ત્યાં=પૂતિવાળા તે ઘરમાં, ત્રણ કલ્પોમાં=દિવસોમાં, કલ્પતું નથી=જિનકલ્પિકને કંઈ પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. અગ્રહણના દિવસથી છટ્ટા-સાતમા દિવસમાં તે ઘર કહ્યું છે. આને જ કહે છેઃઅગ્રહણ દિવસથી છટ્ટા કે સાતમા દિવસે તે ઘર કઈ રીતે કહ્યું છે? એને જ કહે છે – જે કારણથી અટનગત=ભિક્ષાટનવિષયક, પ્રથમ અકરણ દિવસ છે, શેષ એવા એક અથવા બે દિવસ આધાકર્મગત છે તે સ્ત્રીનું ઘર આધાકર્મવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રદ્ધાવાળી તે સ્ત્રીએ અનાભોગથી જિનકલ્પિક નિમિત્તે જે દિવસે ભોજન બનાવ્યું, તે દિવસે તેનું ઘર આધાકર્મદોષવાળું થાય છે, પછીના ત્રણ દિવસ સુધી તેનું ઘર પૂતિદોષવાળું થાય છે. વળી આધાકર્મવાળા એક દિવસમાં અને પૂતિવાળા ત્રણેય દિવસોમાં તેના ઘરેથી બીજું પણ કાંઈ ગ્રહણ કરવું જિનકલ્પિકને કલ્પતું નથી, પૂતિવાળા ત્રણેય દિવસો પૂરાં થાય ત્યારપછી તેનું ઘર જિનકલ્પિકને કહ્યું છે. વળી તે સ્ત્રી તળેલું બનાવ્યા પછી વિચારે કે “આ ઋષિ આજે આવ્યા નથી, તેથી કાલે હું આ તળેલું તેમને આપીશ,” તો તે સ્ત્રીનું ઘર બીજે દિવસે પણ આધાકર્મવાળું બને છે; કેમ કે તળેલું વહોરાવવા વિષયક પરિણામ તે સ્ત્રીમાં બીજે દિવસે પણ વર્તે છે. તેથી તે સ્ત્રીનું ઘર બે દિવસ આધાર્મિદોષવાળું અને પછીના ત્રણ દિવસો પૂતિદોષવાળું બને છે. આનાથી શું પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરતાં કહે છે – તે જિનકલ્પિક તે સ્ત્રીના ઘરે જે દિવસે વહોરવા ગયેલ અને તેના ઘરેથી કંઈ વહોરેલ ન હતું, તે દિવસથી છઠ્ઠા કે સાતમા દિવસે જિનકલ્પિકને તેના ઘરનું કંઈ પણ વહોરવું કલ્પે છે, તે પહેલાં નહીં. આશય એ છે કે જે દિવસે જિનકલ્પિક તે સ્ત્રીના ઘરે વહોરવા ગયેલ, તે દિવસે તે સ્ત્રીએ કાંઈ આરંભ કરેલ ન હતો, પરંતુ જિનકલ્પિકને કહ્યું તેવું કંઈપણ ન હોવાથી તે દિવસે જિનકલ્પિકે તેના ઘરેથી કંઈ ગ્રહણ કરેલ ન હતું, તે ભિક્ષાટનવિષયક અકરણનો પહેલો દિવસ થયો; પછી બીજે દિવસે તે સ્ત્રીએ જિનકલ્પિક નિમિત્તે ભક્ત-ઉદ્ઘાહિમક બનાવ્યું તે આધાકર્મવિષયક બીજો દિવસ થયો, પછી ત્રણ દિવસો પૂતિવિષયક થયા. આમ, પાંચ દિવસ પૂરા થાય પછી છઠ્ઠા દિવસે ફરી તે સ્ત્રીના ઘરે જવું જિનકલ્પિકને કહ્યું છે. વળી જો ઉગ્રાહિમક બનાવ્યું હોય તે દિવસે તે સ્ત્રી જિનકલ્પિક ન આવવાથી સંકલ્પ કરે કે “કાલે હું તે ઋષિને વહોરાવીશ” તો, ઋષિ માટે ભોજન બનાવ્યું તે દિવસ તો આધાકર્મવિષયક થાય, પરંતુ બીજો દિવસ પણ આધાકર્મવિષયક થાય. આમ, તે સ્ત્રીનું ઘર બે દિવસ આધાકર્મદોષવાળું બનવાથી અકરણ દિવસથી છ દિવસ પૂરા થાય, તે પછીના સાતમા દિવસે ફરી તે સ્ત્રીના ઘરે જવું જિનકલ્પિકને કલ્પ છે. I/૧૪૬૭થી ૧૪૬૯માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy