SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૧, ૧૪૫૨ ૧૦૫ અહીં વિચારકને પ્રશ્ન થાય કે વસતિની અનુજ્ઞા માંગતી વખતે વસતિ આપનારા ગૃહસ્થ “તમે કેટલા જનો છો ?” એમ પૂછે, એટલા માત્રથી તે વસતિ આપનારા ગૃહસ્થને અપ્રીતિ છે, એમ કઈ રીતે નક્કી થાય? અને તેવી વસતિમાં જિનકલ્પી રહે તો વસતિ આપનાર ગૃહસ્થને કદાચ અપ્રીતિ થાય, એટલામાત્રથી તે જિનકલ્પીને કઈ રીતે દોષ લાગે ? વસ્તુતઃ તેમણે તો તે વસતિ આપનાર ગૃહસ્થ પાસે યાચના કરીને વસતિ ગ્રહણ કરી છે? આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – મમત્વ વગર તે પ્રકારનો વિચાર કરતો નથી. આશય એ છે કે વસતિ આપનારા ગૃહસ્થને, સાધુને વસતિ આપવી અત્યંત ઇષ્ટ નથી, છતાં જિનકલ્પી વસતિની યાચના કરે છે તેથી તે અનુજ્ઞા આપે છે; અને માટે જ તે ગૃહસ્થ વસતિની અનુજ્ઞા આપતી વખતે જિનકલ્પી મહાત્માને આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે. તેથી અર્થથી નક્કી થાય કે તે ગૃહસ્થને વસતિ આપવામાં ઇષદ્ અનિચ્છા છે, આમ છતાં જો તે મહાત્મા તેના અનિષ્ટની ઉપેક્ષા કરીને તે વસતિમાં રહે, તો તે મહાત્મામાં પરના અનિષ્ટની ઉપેક્ષાનો પરિણામ વર્તે છે, જે પરિણામ વસતિ પ્રત્યેના મમત્વ વગર સંભવતો નથી. આથી સૂક્ષ્મ પણ મમત્વથી રહિત એવા જિનકલ્પી મહાત્મા પરને અપ્રીતિ કરનારી વસતિમાં રહેતા નથી. ll૧૪૫૦/૧૪૫૧ી. અવતરણિકા : व्याख्याता द्वितीयमूलगाथा, अधुना तृतीया व्याख्यायते, तत्र भिक्षाचर्याद्वारविधिमाह - અવતરણિતાર્થ : દ્વિતીય મૂલગાથા વ્યાખ્યાન કરાઈ, હવે તૃતીય વ્યાખ્યાન કરાય છે=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે ત્રણ દ્વારગાથા બતાવાઈ હતી, તેમાંથી બીજી દ્વારગાથામાં બતાવેલાં સર્વ ધારાના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાયું. હવે ત્રીજી દ્વારગાથામાં બતાવેલાં દ્વારોના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાય છે. તેમાં ભિક્ષાચર્યાદ્વારની વિધિને કહે છે – ગાથા : भिक्खाअरिआ णियमा तइआए एसणा अभिग्गहिआ । एअस्स पुव्वभणिआ एग च्चिअ होइ भत्तस्स ॥१४५२॥ दारं ॥ અન્વયાર્થ: fમવરવારિમા યમ ભિક્ષાચર્યા નિયમથી તમા–તૃતીયામાં હોય છે જિનકલ્પિકને ત્રીજી પોરિસીમાં હોય છે. =આનેજિનકલ્પિકને, મત્તસ , વ્ય૩=ભક્તની એક જ પુદ્ગમ પક્ષUT=પૂર્વભણિત એવી અભિગૃહીત એષણા રોડ્ર=હોય છે. ગાથાર્થ : ભિક્ષાચ નિયમથી જિનકલિકને ત્રીજી પોરિસીમાં હોય છે. જિનકલ્પિકને ભક્તની એક જ પૂર્વભણિત એવી અભિગૃહીત એષણા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy