SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા | ગાથા ૧૪૫૦-૧૪૫૧ ગાથાર્થ : જે કારણથી જિનકભી નિયમથી પરના સૂક્ષ્મ પણ અનિષ્ટનો પરિહાર કરે છે, તેથી પૂર્વગાથામાં બતાવી એવી પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે. તે કારણથી ગાથા ૧૪૨૮ના અંતે રહેલ “તુ' શબ્દથી પ્રાપ્ત એવી અન્ય પણ પરને અપ્રીતિ કરનારી વસતિનો જિનકલ્પી ત્યાગ કરે છે. ટીકા : सूक्ष्ममप्यचियत्तम्-अप्रीतिलक्षणं परिहरत्यसौ भगवान् परस्य नियमेन यद्-यस्मात्, तेन कारणेन तुशब्दात् मूलगाथोपात्ताद्वर्जयत्यन्यामपि वसतिं तज्जननीम् ईषदप्रीतिजननी, न च ममत्वमन्तरेण तथा विचारः क्रियत इति गाथार्थः ॥१४५१॥ ટીકાર્ય : જે કારણથી આ=જિનકલ્પી, ભગવાન પરના સૂક્ષ્મ પણ અપ્રીતિલક્ષણ અચિયત્તને=અપ્રીતિસ્વરૂપ અનિષ્ટને, નિયમથી પરિહરે છે. તેથી આ મહામુનિ પૂર્વગાથામાં બતાવી એવી પણ વસતિનો પરિહાર કરે છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે. તે કારણથી=જે કારણથી જિનકલ્પી પરના સૂક્ષ્મ પણ અનિષ્ટને પરિહરે છે તે કારણથી, મૂળગાથામાં ઉપાત્ત એવા તુ' શબ્દથી=૧૪૨૮ રૂપ દ્વારગાથાના અંતમાં રહેલ એવા “તુ' શબ્દથી, તેની જનની=ઈષ અપ્રીતિની જનની=પરને થોડી પણ અપ્રીતિ ઉત્પન્ન કરનારી, એવી અન્ય પણ વસતિને વર્જે છે=જિનકલ્પી ત્યજે છે. અને મમત્વ વગર=વસતિ પ્રત્યેના મમત્વ વગર, તે પ્રકારનો વિચાર=પરને અપ્રીતિ ઉત્પન્ન કરનારી પણ વસતિને ગ્રહણ કરવાનો વિચાર, કરાતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - જિનકલ્પી મહાત્મા કોઈ ગૃહસ્થ પાસે વસતિમાં રહેવાની અનુજ્ઞા માંગે, તે વખતે જો તે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલા જનો અહીં રહેશો?” અથવા તો પૂર્વની ગાથાઓમાં બતાવ્યા પ્રમાણે અવકાશાદિ વિષયક કંઈક સૂચન કરે, તો તે વસતિનો આ મહાત્મા પરિહાર કરે છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં બતાવ્યા તે પ્રકારના ગૃહસ્થના પ્રશ્નમાત્રથી કે સૂચનમાત્રથી જિનકલ્પી વસતિનો પરિહાર કેમ કરે ? તેથી વસતિના પરિવારનું પ્રયોજન બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – જે કારણથી જિનકલ્પી મહાત્મા અન્ય વ્યક્તિના સૂક્ષ્મ પણ અપ્રીતિસ્વરૂપ અનિષ્ટનો પરિહાર કરે છે, તેથી તેઓ આવી વસતિનો પરિહાર કરે છે. વળી “આ મહાત્મા નિયમથી પરની અપ્રીતિનો પરિહાર કરે છે” એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે, ગાથા ૧૪૨૮માં રહેલ “તુ' શબ્દથી પ્રાપ્ત એવી અન્ય પણ વસતિમાં અન્યને થોડી પણ અપ્રીતિ થતી હોય, તો આ જિનકલ્પી મહાત્મા તે વસતિનો પરિહાર કરે છે. આથી જ વીરપ્રભુએ તાપસીની અપ્રીતિનો પરિહાર કરવા અર્થે ચાતુર્માસમાં પણ વિહાર કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy