SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા/ ગાથા ૧૪૩૮ અવતરણિકા : कियच्चिरद्वारविधिमाह - અવતરણિતાર્થ : કેટલો કાળ? કારની વિધિને કહે છે જિનકલ્પિક વસતિની યાચના કરે તે વખતે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલો કાળ અહીં રહેશો?” તો તેવી વસતિના ગ્રહણના વિષયમાં જિનકલ્પિકોની મર્યાદાને કહે છે – ગાથા : केच्चिरकालं वसहिह एवं पुच्छंति जायणासमए । जत्थ गिही सा वसही ण होइ एअस्स णिअमेण ॥१४३८॥ दारं ॥ અન્વયાર્થ : નીયUTIસમયાચના સમયે નન્જ જ્યાં નદી-ગૃહીઓ વિરાનં વહિકકેટલો લાંબો કાળ તમે વસશો ? વિં પુચ્છતિ એ પ્રમાણે પૂછે છે, સા વદી તે વસતિ fમેT=નિયમથી સસ્સઆને જિનકલ્પિકને, એ હોડું હોતી નથી. ગાથાર્થ : વસતિની યાચનાસમયે જ્યાં ગૃહસ્થો “કેટલો લાંબો કાળ તમે હસશો ?” એ પ્રમાણે પૂછે છે, તે વસતિ નિયમથી જિનકલ્પિકને હોતી નથી. ટીકા : ___कियच्चिरं कालं वत्स्यथ यूयम्' एवं पृच्छन्ति याञ्चासमये-काले यत्र गृहिण:-स्वामिनः, सा वसतिरेवंभूता न भवत्येव तस्य-जिनकल्पिकस्य नियमेन, सूक्ष्मममत्वयोगादिति गाथार्थः ॥१४३८॥ ટીકાર્ય : યાંચાના સમયમાં કાળમાં=વસતિને યાચવાના સમયે, જ્યાં ગૃહીઓ=સ્વામીઓ તે ઘરના માલિકો, “કેટલો લાંબો કાળ તમે વસશો?” એ પ્રમાણે પૂછે છે, આવા પ્રકારની તે વસતિ તેને જિનકલ્પિકને, નિયમથી હોતી જ નથી, કેમ કે સૂક્ષ્મ મમત્વનો યોગ થાય છે=જિનકલ્પિકને તે વસતિ પ્રત્યે સૂક્ષ્મ મમત્વ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પી કોઈ સ્થાનના માલિક પાસે વસતિની યાચના કરે, તે વખતે તે ઘરના માલિક વ્યક્તિ તેઓને પૂછે કે “તમે કેટલો કાળ અહીં રહેશો ?” તેનો અર્થ એ કે તે ઘરમાલિકની વસતિદાન કરવાની ઇચ્છા કંઈક ઓછી છે, છતાં તે વસતિમાં જિનકલ્પિક રહે તો તેમને તે સ્થાનનું સૂક્ષ્મ મમત્વ થાય. આથી જે વસતિમાં માલિક આવો પ્રશ્ન કરે, તે વસતિ જિનકલ્પી માટે અશુદ્ધ છે. ./૧૪૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy