SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા | ગાથા ૧૪૩૦ ટીકા : अममत्वा-ममेयमित्यभिष्वङ्गरहिता, अपरिका-साधुनिमित्तमालेपनादिपरिकर्मवर्जिता, द्वारबिलभग्नयोगपरिक्षीणा-द्वारबिलयोगः-स्थगनपूरणरूपः भग्नयोगः-पुनः संस्करणम् एतच्छून्या, जिनवसतिः, अस्यानपवादानुष्ठानपरत्वात् । स्थविराणामप्येवंभूतैव वसतिः मुक्त्वा प्रमार्जनं वसतेरेव अकार्य इति पुष्टमालम्बनं विहायैवंभूतेति गाथार्थः ॥१४३७॥ ટીકાર્ય : અમમત્વવાળી=“આ મારું છે” એ પ્રકારના અભિવૃંગથી રહિત; અપરિકર્મવાળી=સાધુના નિમિત્તે આલેપનાદિ પરિકર્મથી વર્જિત; દ્વાર-બિલ-ભગ્નના યોગથી પરિક્ષણ=સ્થગન-પૂરણરૂપ ધાર-બિલનો યોગ, વળી સંસ્કરણરૂપ ભગ્નનો યોગ એનાથી શૂન્ય =બારણાં બંધ કરવારૂપ દ્વારનો વ્યાપાર, કીડી આદિનાં દરો પૂરવારૂપ બિલનો વ્યાપાર, વળી મકાનના ભાંગી ગયેલા ભાગને સરખું કરાવવારૂપ ભગ્નનો સંસ્કાર કરવારૂપ વ્યાપાર : આ ત્રણેય વ્યાપારોથી રહિત, જિનની વસતિ હોય છે=જિનકલ્પિકોની વસતિ હોય છે, કેમ કે આનું અનપવાદવાળા અનુષ્ઠાનમાં પરપણું છે=જિનકલ્પિકનું અપવાદ વગરનાં અનુષ્ઠાનોમાં તત્પરપણું છે. વિરોને પણ સ્થવિરકલ્પિકોને પણ, વસતિના જ પ્રમાર્જનને મૂકીને આવા પ્રકારની જ વસતિ હોય છે. વિરોને આવા પ્રકારની વસતિ ક્યારે હોય છે? તેથી કહે છે – અકાર્યમાં પુષ્ટ એવા આલંબનને છોડીને, આવા પ્રકારની હોય છે જિનકલ્પિકો જેવા પ્રકારની વસતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિકો પોતે ગૃહસ્થ પાસે યાચના કરીને જે વસતિમાં રહ્યા હોય, તે વસતિ પ્રત્યે સ્ટેજ પણ અભિવૃંગ રાખતા નથી. વળી પોતાના નિમિત્તે કોઈપણ પરિકર્મ કરાયું ન હોય એવી વસતિમાં રહે છે. વળી તેઓ જે વસતિમાં રહેલા હોય તે વસતિનાં દ્વાર બંધ કરવાં, ઉંદર વગેરેનાં બિલો હોય તો તેને પૂરવાં, અથવા તે મકાનનાં બારણાં વગેરેના કોઈ અવયવો તૂટી ગયા હોય તો તેને સરખા કરાવવા, વગેરે વ્યાપારોથી રહિત એવી વસતિમાં જિનકલ્પિકો રહે છે, કેમ કે જિનકલ્પિક સાધુઓ સર્વત્ર ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી વિરકલ્પિક સાધુઓની પણ આવી જ વસતિ હોય છે, ફક્ત તેઓ પોતે રહેલા હોય તે વસતિનું પ્રમાર્જન કરે છે, જ્યારે જિનકલ્પિકો સતત ધ્યાનમાં જ રહેનારા હોવાથી પોતે રહ્યા હોય તે વસતિનું પ્રમાર્જન પણ કરતા નથી. વળી પુષ્ટાલંબનવાળું કોઈ કાર્ય હોય તો, જિનકલ્પિકો જેવી સંપૂર્ણ શુદ્ધ વસતિમાં સ્થવિરકલ્પિકોને કોઈ અપવાદ પણ હોય છે, પરંતુ પુષ્ટાલંબનવાળા કાર્યના અભાવમાં સ્થવિરકલ્પિકોને પણ જિનકલ્પિકો જેવી જ વસતિ હોય છે. (૧૪૩૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy