SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૩૩-૧૪૩૪ ટીકાઃ ___ आतङ्को ज्वरादिः सद्योघाती रोगः, असावपि भाज्योऽस्य भवति वा न वा, यदि भवति कथञ्चित्ततः निष्प्रतिकर्मशरीरः सन्नधिसहते तमप्यातङ्कमेवमेव निश्चलचित्ततयेति गाथार्थः ॥१४३३॥ ટીકાર્ય : - સદ્યાઘાતી=જલદીથી પ્રાણનો ઘાત કરનાર, જ્વરાદિ રોગ આતંક છે. આ પણ=આતંક પણ, આને જિનકલ્પિકને, ભાજ્ય છે=થાય છે અથવા નથી થતો. જો કોઈક રીતે આતંક થાય, તો નિષ્પતિકર્મ શરીરવાળા છતા=નહીં કરેલી રોગની ચિકિત્સાવાળું શરીર છે જેનું એવા જિનકલ્પી, તેને પણ=આતંકને પણ, આ રીતે જ નિશ્ચલ ચિત્તતાથી-ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ નિશ્ચલ ચિત્તપણાથી, સહન કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જલદીથી પ્રાણનું હરણ કરનારા એવા જ્વરાદિ રોગરૂપ આતંક જિનકલ્પીને થાય જ, એવો એકાંતે નિયમ નથી, પરંતુ વિકલ્પ છે. નિરનુબંધી ક્લિષ્ટ કર્મોના ઉદયથી કોઈક જિનકલ્પી મહાત્માને આતંક થાય છે, અન્ય જિનકલ્પી મહાત્માને થતો નથી. વળી જો જિનકલ્પી મહાત્માને આતંક થાય, તોપણ તેઓ તે આતંકના નિવારણ માટે ઔષધાદિના સેવનરૂપ કોઈ શરીરનું પ્રતિકર્મ કરતા નથી, પરંતુ દેહ પ્રત્યેના છિન્ન મમત્વવાળા, સુખ અને દુઃખ પ્રત્યે સમાન પરિણામવાળા થઈને નિશ્ચલ ચિત્તથી, જેમ ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ તે આતંકને પણ સહન કરે છે. ૧૪૩૩ll અવતરણિકા : वेदनाद्वारविधिमाह - અવતરણિકાર્ય : વેદનાદ્વારની વિધિને કહે છે – ગાથા : अब्भुवगमिआ उवक्कमा य तस्स वेअणा भवे दुविहा । धुवलोआई पढमा जराविवागाइआ बितिआ ॥१४३४॥ दारं ॥ અન્વયાર્થ : ત–તેને=જિનકલ્પિકને, ભુવા ૩વમા ય=અભ્યપગમિકી અને ઔપક્રમિકી સુવિહા વેગUTI દ્વિવિધ વેદના મ=હોય છે. યુવત્નોમા પઢમા–ધ્રુવલોચાદિ પ્રથમ (વેદના) છે, નરવિવામિ વિતિમા–જવરવિપાકાદિ દ્વિતીય (વેદના) છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy