SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧ અવતરણિકા : ગાથા ૧૧૧રમાં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, એમ બે પ્રકારનો સ્તવ છે. તેમાંથી અત્યાર સુધી દ્રવ્યસ્તવનું નિરૂપણ કર્યું. વળી ગાથા ૧૧૫૭માં કહ્યું કે દ્રવ્યસ્તવથી કાળે કરીને અભ્યાસથી પરંપરાએ ભાવસ્તવ પણ થાય છે. તેથી હવે ભાવસ્તવનું નિરૂપણ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : भावत्थओ अ एसो थोअव्वोचिअपवित्तिओ णेओ । णिरवेक्खाणाकरणं कयकिच्चे हंदि उचिअं तु ॥११६१॥ અન્વયાર્થ : થવ્યોરિપવિત્તિો અને સ્તોતવ્યમાં ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે માવસ્થ =ભાવસ્તવ પો=આ=શુદ્ધ સંયમ, જેગો જાણવો. (સ્તોતવ્ય એવા ભગવાનમાં ઉચિત શું છે ? એથી કહે છે –) જિગ્ને કૃતકૃત્ય એવા ભગવાનમાં, રિવેવસ્થા કર તુ નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ ચિં-ઉચિત છે. * “દૂરિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. * '' ઇશ્વકાર અર્થમાં છે. ગાથાર્થ : અને સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે ભાવસ્તવ શુદ્ધ સંચમ જાણવો, અને કૃતકૃત્ય એવા ભગવાનમાં નિરપેક્ષ આજ્ઞાનું પાલન જ ઉચિત છે. ટીકા : भावस्तवश्चैषः शुद्धः संयमः, कुत इत्याह-स्तोतव्योचितप्रवृत्तेः कारणात् विज्ञेय इति, तथाहिनिरपेक्षाऽऽज्ञाकरणमेव कृतकृत्ये स्तोतव्ये हन्धुचितं, नाऽन्यत्, निरपेक्षत्वादिति गाथार्थः ॥११६१॥ ટીકાર્ય અને ભાવસ્તવ આ છે=શુદ્ધ સંયમ છે. કયા કારણથી? એથી કહે છે – સ્તોતવ્યમાં=સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં, ઉચિત પ્રવૃત્તિના કારણે, જાણવા=ભાવસ્તવ શુદ્ધ સંયમ જાણવો. સ્તોતવ્ય એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ શું છે? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – કૃતકૃત્ય એવા સ્તોતવ્યમાંકકૃતકૃત્ય એવા સ્તુતિ કરવા યોગ્ય ભગવાનમાં, નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન જ, ઉચિત છે, અન્ય નહીં=ભગવાનની પૂજા કરવા વગેરે અન્ય કૃત્ય ઉચિત નથી; કેમ કે નિરપેક્ષપણું છે=વીતરાગ હોવાને કારણે ભગવાનનું સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભાવસ્તવ શુદ્ધ સંયમના પાલનરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે “સ્તવ' શબ્દનો અર્થ “સ્તુતિ કરવી” એવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy