SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ s અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૧-૧૧૬૨ થાય, છતાં તે અર્થ કરવાને બદલે ભાવસ્તવનો અર્થ શુદ્ધ સંયમ કેમ કર્યો ? તેના સમાધાન અર્થે ખુલાસો કરે છે કે સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનના વિષયમાં ભગવાનના ગુણોની સ્તુતિ કરીને ભગવાન જેવા નિરપેક્ષ થવા અર્થે ઉદ્યમ કરવો એ ‘સ્તુતિ' શબ્દનો પારમાર્થિક અર્થ છે. આથી જેઓ ભગવાનના વચનાનુસાર શુદ્ધ સંયમમાં ઉદ્યમ કરે છે, તેઓ ભગવાનના ગુણોની સ્તુતિ કરી રહ્યા છે; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે અને કૃતકૃત્ય એવા સ્તુતિ કરવા યોગ્ય ભગવાનમાં ઉચિત એ છે કે નિરપેક્ષ એવા ભગવાનની સર્વત્ર નિરપેક્ષ થવાની આજ્ઞાનું પાલન કરવું; એ સિવાય માત્ર બાહ્ય રીતે ભગવાનની પૂજા કરવી, ગુણગાન કરવા વગેરે કૃત્ય ઉચિત નથી; કેમ કે ભગવાન પોતે નિરપેક્ષ છે, તેથી લોકો મારી સ્તુતિ કરે એવી કોઈ અપેક્ષા ભગવાનને નથી. આથી જેઓ ભગવાનની જેમ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને ભગવાનના વચનાનુસાર શુદ્ધ સંયમમાં ઉદ્યમ કરે છે, તેઓ જ પરમાર્થથી ભગવાનની જેમ કૃતકૃત્ય થવા યત્ન કરે છે, જે ભગવાનની સ્તુતિરૂપ છે, અને આવા પ્રકારની સ્તુતિ એ ભાવસ્તવ છે. II૧૧૬૧॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ કૃતકૃત્ય એવા ભગવાનમાં ઉચિત છે. તેથી પ્રશ્ન થાય કે ભગવાન ઉપર બહુમાનવાળા પણ જીવો નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કેમ કરતા નથી ? તેથી કહે છે ગાથા: - एअं च भावसाहुं विहाय णऽण्णो चएइ काउं जे । सम्मं तग्गुणणाणाभावा तहकम्मदोसा य ॥११६२॥ અન્વયાર્થઃ i ==અને આ=નિરપેક્ષ આજ્ઞાનું કરણ, ભાવસાદું વિહાય-ભાવસાધુને છોડીને ગળો-અન્ય જાઉં ળ ચઢ઼=કરી શકતો નથી; સમાં તશુળળાળામાવા-કેમ કે સમ્યક્ તેના=નિરપેક્ષ આજ્ઞાના કરણના, ગુણના જ્ઞાનનો અભાવ છે, તહમ્મોસા ય=અને તે પ્રકારના કર્મનો દોષ છે=આજ્ઞાના કરણવિષયક પ્રયત્ન કરવામાં બાધ કરે તે પ્રકારના કર્મનો દોષ છે. * ‘ને' પાદપૂર્તિ અર્થે મુકાયેલો અવ્યય છે. ગાથાર્થ: અને નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય જીવ કરી શકતો નથી; કેમ કે સમ્યક્ નિરપેક્ષ આજ્ઞાના પાલનથી થતા ગુણના જ્ઞાનનો અભાવ છે, અને આજ્ઞાના કરણવિષયક યત્ન કરવામાં બાધ કરે તે પ્રકારના કર્મનો દોષ છે. ટીકા एतच्च= एवमाज्ञाकरणं भावसाधुं विहाय = मुक्त्वा नाऽन्यः क्षुद्रः शक्नोति कर्त्तुमिति, कुतः ? इत्याहसम्यक्तद्गुणज्ञानाभावात् इत्थमाज्ञाकरणगुणज्ञानाभावात्, तथाकर्म्मदोषाच्च=चारित्रमोहनीयकर्म्मापराधाच्चेति गाथार्थः ॥११६२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy