SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૯-૧૧૫૮ ૧ * “સુત્યાયઃ'માં આદિ' પદથી સંપત્તિ, વિવેકાદિનું ગ્રહણ છે, અને “વિવેવાય?" માં ‘મર' પદથી ભવ પ્રત્યે થતો વિરાગભાવ વગેરેનું ગ્રહણ છે. * “ક્રિતીકોપ''માં ''િથી એ જણાવવું છે કે દ્રવ્યસ્તવથી કુશલબંધ અને કુશલબંધનો સુગતિ આદિ વિપાક તો પ્રાપ્ત થાય છે, પરંતુ કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ પણ, પ્રાપ્ત થાય છે. ટીકાર્ય પ્રથમથી દ્રવ્યસ્તવથી, કુશલનો બંધ=પુણ્યાનુબંધી પુણ્યનો બંધ, થાય છે, તેના કુશલબંધના, વિપાકરૂપ હેતુથી સુગતિ આદિ થાય છે સુગતિ, સંપ, વિવેકાદિ થાય છે. તેનાથી દ્રવ્યસ્તવથી, પરંપરાએ અભ્યાસથી કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ પણ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યરૂપ કુશલનો બંધ થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને પોતાને આહ્વાદ આપનારાં ઉત્તમ દ્રવ્યોથી, “હું લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને મારા આત્માનું હિત સાધુ” એ પ્રકારનો જે પ્રશસ્તભાવ વર્તે છે, તેનાથી તે શ્રાવકને પુણ્યના અનુબંધવાળું પુણ્ય બંધાય છે, જે પુણ્યાનુબંધી પુણ્યના વિપાકથી તે શ્રાવકના આત્માને ઉત્તમ દેવભવની અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ થવારૂપ સુગતિની પ્રાપ્તિ થાય છે, અને ત્યાં અનેક પ્રકારના બાહ્ય વૈભવની પ્રાપ્તિ થાય છે, જે સંપત્તિસ્વરૂપ છે. વળી તે આત્માને સુગતિ પ્રાપ્ત થયા પછી વિવેક પ્રગટે છે, ભવ પ્રત્યે વિરક્તભાવ થાય છે, યોગમાર્ગને સાધવાનો અભિલાષ થાય છે. આ સર્વ ગુણો પૂર્વભવમાં દ્રવ્યસ્તવથી અર્જન કરાયેલ પુણ્યાનુબંધી પુણ્યના વિપાકથી પ્રાપ્ત થાય છે. વળી, દ્રવ્યસ્તવથી પરંપરાએ અભિવૃંગરૂપ વિષનો ત્યાગ કરવાના અભ્યાસ દ્વારા કાળે કરીને ભાવસ્તવ પણ પ્રાપ્ત થાય છે, કેમ કે “મારે નિરભિમ્પંગ ચિત્તરૂપ ભાવસ્તવ પ્રાપ્ત કરવો છે, અને ભાવતવની પ્રાપ્તિનો ઉપાય દ્રવ્યસ્તવ જ છે,” એ પ્રકારની બુદ્ધિથી લેવાયેલ દ્રવ્યસ્તવના બળથી પ્રાપ્ત થયેલી સુગતિમાં પણ ભાવસ્તવની પ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય થાય છે, અને જ્યારે શક્તિનો સંચય થઈ જાય ત્યારે જીવ સર્વ સંગનો ત્યાગ કરીને સર્વથા અભિવંગ રહિત થવા સર્વવિરતિનો સ્વીકાર કરે છે, જે ભાવરૂવરૂપ છે, અને તે ભાવસ્તવના સેવનથી સંપૂર્ણ અભિવૃંગનો ત્યાગ થવાને કારણે જીવ વીતરાગ બને છે. ll૧૧૫ll અવતરણિકા : एतदेव विशेषेणाऽऽह - અવતરણિકાર્ય : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, કુશલબંધના વિપાકથી સુગતિ આદિ પ્રાપ્ત થાય છે, અને પરંપરાએ ભાવસ્તવ પણ થાય છે, એને જ પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિશેષથી કહે છે – ગાથા : जिणबिंबपइट्ठावणभावज्जिअकम्मपरिणइवसेणं । सुगईए पइट्ठावणमणहं सइ अप्पणो जम्हा ॥११५८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy