SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકઅનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫ પ૯ ભાવાર્થ : જે રીતે કોઈ રોગીનો રોગ ઔષધ આદિ વગર મટે તેવો ન હોય પરંતુ કટુ ઔષધાદિથી જ મટે તેવો હોય, તો તે રોગીને રોગ મટાડવા માટે કટુ ઔષધાદિ આપવામાં આવે છે અને ઔષધને ઉચિત પથ્યનું પાલન કરાવવામાં આવે છે, જેના કારણે તે રોગીનો રોગ ધીમે-ધીમે શમન પામે છે; એ જ રીતે બાહ્ય પદાર્થો પ્રત્યે અભિવૃંગયુક્ત ચિત્તવાળા શ્રાવકનો રોગ દ્રવ્યસ્તવરૂપી ઔષધ વગર સ્વયં મટે તેવો નથી, પરંતુ દ્રવ્યસ્તવરૂપી કટુ ઔષધથી જ મટે તેવો છે, તેથી શ્રાવક કટુ ઔષધના સેવન દ્વારા ધીમે ધીમે રોગના શમન તુલ્ય દ્રવ્યસ્તવ કરે છે; અને દ્રવ્યસ્તવ કરતી વખતે ભગવાનની ભક્તિમાં વર્તતા પ્રશસ્ત અભિવંગના પરિણામથી શ્રાવકને પુણ્યબંધ થાય છે, જે પુણ્યબંધ જીવને ભાવઆરોગ્ય પ્રાપ્ત કરાવે છે; જોકે ઉત્તમ દ્રવ્યો પ્રત્યેના અભિળંગના પરિણામથી યુક્ત એવો ભગવાનના ગુણો પ્રત્યેનો અભિન્કંગનો પરિણામ જીવને અનુકૂળ નથી, તોપણ તે અભિળંગ જીવને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવા પ્રેરે છે, જેથી ક્રમસર જીવના ભાવરોગનો નાશ થાય છે. આથી ઉત્તમ દ્રવ્યો પ્રત્યેના અભિળંગપૂર્વકના ભગવાન પ્રત્યેના અભિવૃંગના પરિણામથી યુક્ત એવો દ્રવ્યસ્તવ આત્માને પ્રતિકૂળ હોવા છતાં આત્માને પીડા કરનારા ભાવરોગના નાશનું કારણ હોવાથી કટુ ઔષધના સેવન તુલ્ય છે. વળી, જે રીતે કોઈ રોગીનો રોગ ઔષધ વગર સ્વયં જ મટે તેવો હોય, તો તે રોગીને રોગ મટાડવા માટે કટુ ઔષધ આપવાની જરૂર પડતી નથી; એ જ રીતે બાહ્ય પદાર્થો પ્રત્યે નિરભિમ્પંગ ચિત્તવાળા સાધુનો રોગ દ્રવ્યસ્તવરૂપી ઔષધ વગર સ્વયં મટે તેવો હોય છે, તેથી સાધુ કટુ ઔષધના સેવન વગર રોગના નાશ તુલ્ય ભાવસ્તવ કરે છે; અને ભાવસ્તવ કરતી વખતે સાધુ અભિવૃંગનો સર્વથા ત્યાગ કરવારૂપ ભાવરોગના ઉન્મેલનને અનુકૂળ સંયમના યોગોમાં સુદઢ યત્ન કરે છે, અને ક્ષયોપશમભાવનો તે નિરભિમ્પંગ પરિણામ ઉત્તરોત્તર પ્રકર્ષ પામીને જ્યારે ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે ત્યારે તે સાધુના ભાવરોગનો સંપૂર્ણ નાશ થાય છે. દુષથયો ત્''માં ‘મારિ' શબ્દથી પથ્યના પાલનનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પોતાના ભાવરોગને મટાડવા અર્થે “હું ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરું” એ પ્રકારનો ભગવાન પ્રત્યે અભિવૃંગનો પરિણામ કરવારૂપ કડવા ઔષધનું સેવન કરે છે, અને દેશવિરતિના પાલનકાળમાં રાગાદિરૂપ ભાવરોગો વૃદ્ધિ ન પામે તે માટે સદ્ આલંબનો ગ્રહણ કરે છે અને અસત્ આલંબનોથી દૂર રહે છે, જે ભાવરોગના શમન અર્થે પથ્ય પાળવારૂપ છે. વળી, સાધુએ પોતાના ભાવરોગને મટાડવા અર્થે “હું ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરું” એ પ્રકારનો ભગવાન પ્રત્યે અભિવંગનો પરિણામ કરવારૂપ કડવા ઔષધનું સેવન કરવાનું નથી, કેમ કે સાધુનો ભાવરોગ અનુત્કટ હોવાથી સ્વયં જ મટે એવો છે, તોપણ ભાવરોગના ક્ષય અર્થે સાધુને ચરીનું પાલન આવશ્યક છે. તેથી સાધુ સ્વાધ્યાયાદિ સદ્ આલંબનોમાં વર્તે છે અને રાગાદિરૂપ ભાવરોગોની વૃદ્ધિ થાય તેવાં અસદુ આલંબનોથી દૂર રહે છે, જે ભાવરોગના ક્ષય અર્થે ચરી પાળવારૂપ છે. આમ, શ્રાવક પોતાના ભાવરોગના શમન અર્થે પોતાને પ્રિય એવા ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવાપૂર્વક ભગવાન પ્રત્યે અભિવૃંગરૂપ વિષને ધારણ કરવા સ્વરૂપ કટુ ઔષધનું સેવન કરે છે અને સદાલંબનો ગ્રહણ કરવારૂપ પથ્યનું પાલન પણ કરે છે; જ્યારે સાધુ પોતાના ભાવરોગના ક્ષય અર્થે બાહ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy