SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૫૫-૧૧૫૬ જેવો છે; કેમ કે ભાવસ્તવમાં દ્રવ્ય સામગ્રી વગર અભિવૃંગનો ત્યાગ કરીને ભગવાનના વચનના અવલંબન દ્વારા ભગવાન તુલ્ય થવા માટે યત્ન કરાય છે; જ્યારે દ્રવ્યસ્તવમાં અભિવૃંગનો ત્યાગ કર્યા વગર ઉત્તમ બાહ્ય સામગ્રી દ્વારા ભગવાનની ભક્તિ કરીને શુભ ભાવ કરવા માટે યત્ન કરાય છે. આથી દ્રવ્યસ્તવ કાંટાવાળી નાવના બળથી સંસારસમુદ્ર તરવા જેવો છે. આ પ્રકારનો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે ભેદ છે. ૧૧પપો. અવતરણિકા : इदमेवोदाहरणान्तरेणाह - અવતરણિકાર્ય : આને જ ઉદાહરણાંતર દ્વારા કહે છે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના સ્વરૂપને જ અન્ય ઉદાહરણ દ્વારા બતાવે છે – ગાથા : कडुगोसहाइजोगा मंथररोगसमसण्णिहो वा वि । पढमो विणोसहेणं तक्खयतुल्लो य बिइओ उ ॥११५६॥ અન્વયાર્થ: વા વિ અથવા તો સદારૂનો કટુક ઔષધાદિના યોગથી મંથરો સમક્ષ પહો મંથર રોગના શમની સંનિભ=ધીમે ધીમે રોગના શમનની તુલ્ય, પઢમાં પ્રથમ છે દ્રવ્યસ્તવ છે, મોજાં વિUIT ય અને ઔષધ વિના તવશ્વયતુ તેના ક્ષયની તુલ્ય રોગના નાશની તુલ્ય, વિકબીજો છે=ભાવસ્તવ છે. * ગાથાના અંતે રહેલ “3” પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થઃ અથવા તો કડવાં ઔષધાદિના સંબંધથી ધીમે ધીમે રોગના શમન જેવો દ્રવ્યસ્તવ છે, અને ઔષધ વગર રોગના નાશ જેવો ભાવસ્તવ છે. ટીકાઃ ___ कटुकौषधादियोगात्-कटुकौषधादिसम्बन्धेन, मन्थररोगशमसन्निभो वाऽपि-विलम्बितरोगोपशमतुल्यो वाऽपि, प्रथमो-द्रव्यस्तवः, विनौषधेन स्वत एव तत्क्षयतुल्यश्च रोगक्षयकल्पश्च, द्वितीयो-भावस्तव इति गाथार्थः ॥११५६॥ ટીકાર્ય : અથવા તો કટુકઔષધાદિના યોગથી=કટુક ઔષધાદિના સંબંધથી, મન્થર રોગના શમ સંનિભ=વિલંબિત રોગના ઉપશમ તુલ્ય, પ્રથમ છે=દ્રવ્યસ્તવ છે, અને ઔષધ વિના સ્વયં જ તેના ક્ષય તુલ્ય=રોગના ક્ષય કલ્પ, દ્વિતીય છે=ભાવસ્તવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy