SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ગાથાર્થ: નદી આદિમાં કાંટાવાળી નાવથી ઊતરવા જેવો અને સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં અસમર્થ દ્રવ્યસ્તવ છે, વળી ભાવસ્તવ સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં સમર્થ અને પોતાની ભુજાથી ઊતરવા જેવો છે. ટીકાઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૫૫ अशुभतरण्डोत्तरणप्रायः=कण्टकानुगतसाल्मलीतरण्डोत्तरणतुल्यो द्रव्यस्तवः, सापायत्वाद् असमस्तश्च (? અસમર્થજી) તતવ સિસિદ્ધે, નદ્યાવિષુ સ્થાનેપુ, તર: પુન:-માવસ્તવઃ સમસ્ત(? ર્થ)बाहूत्तरणकल्पः, तत एव मुक्तेरिति गाथार्थः ॥ ११५५ ॥ - નોંધ : ટીકામાં અક્ષમસ્તશ્ન છે, તેને ઠેકાણે મૂળગાથા પ્રમાણે સમર્થન્ર હોવું જોઈએ, અને સમસ્તવાહૂત્તળલ્પઃ છે તેને ઠેકાણે મૂળગાથા પ્રમાણે સમર્થવાહૂત્તળલ્પઃ હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા૪૫ની ટીકામાં પણ આ જ પ્રમાણે પાઠ છે, જે શુદ્ધ ભાસે છે. ટીકાર્ય નદી આદિ સ્થાનોમાં અશુભ તરંડથી ઉત્તરણપ્રાય=કંટકથી અનુગત એવા સાલ્મલીના તરંડથી ઉત્તરણ તુલ્ય=કાંટાવાળા સાલ્મલી નામના વૃક્ષના લાકડાંમાંથી બનાવેલી નાવથી ઊતરવા સમાન, દ્રવ્યસ્તવ છે; કેમ કે સાપાયપણું છે=અપાયસહિતપણું છે=અભિષ્યંગ હોવાને કારણે દ્રવ્યસ્તવનું જન્માંતરની પ્રાપ્તિરૂપ અનર્થથી યુક્તપણું છે, અને અસમર્થ છેદ્રવ્યસ્તવ સંસારસમુદ્રથી પાર ઊતરવા અસમર્થ છે; કેમ કે તેનાથી જ સિદ્ધિની અસિદ્ધિ છે=દ્રવ્યસ્તવથી જ મોક્ષરૂપ ફળની અપ્રાપ્તિ છે. વળી ઇતર=ભાવસ્તવ, સમર્થ અને બાહુથી ઉત્તરણકલ્પ છે=સંસારસમુદ્રથી પાર ઊતરવા સમર્થ છે અને પોતાની ભુજાથી ઊતરવા સમાન છે; કેમ કે તેનાથી જ મુક્તિ થાય છે=ભાવસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જેમ નદી વગેરે કોઈ સ્થાનમાં ડૂબતો પુરુષ નદી આદિ તરવા અસમર્થ હોય, અને તેને નદી આદિમાંથી બહાર નીકળવા માટે કાંટાથી યુક્ત એવા સાલ્મલી વૃક્ષના લાકડામાંથી બનાવેલી નાવ પ્રાપ્ત થાય, તો તેનાથી નદી આદિનો પાર પામવાનો તે યત્ન કરે છે ત્યારે તે પુરુષને નાવમાં રહેલા કાંટા વાગે છે, અને તે નાવ નાની હોવાથી તેના દ્વારા તે પુરુષ સંપૂર્ણ નદીને તરી શકતો નથી, તોપણ તત્કાલ તે પુરુષનું નદી આદિમાં ડૂબવાથી રક્ષણ થાય છે. તેમ – દ્રવ્યસ્તવ, અભિષ્યંગના પરિણામરૂપી વિષથી યુક્ત હોવા છતાં ભગવાનની ભક્તિરૂપ ઉચિત અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી, તે દ્રવ્યસ્તવથી જીવનું સંસારરૂપી સમુદ્રમાં ડૂબવાથી રક્ષણ થાય છે, તોપણ દ્રવ્યસ્તવ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy