SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૦ ટીકાઃ आह-उचितानुष्ठानकारणाद्(? उचितानुष्ठानात् कारणाद्) विचित्रयतियोगतुल्य एवैषः विहितत्वात् यद्-यस्मात्, तत्-तस्मात् कथं द्रव्यस्तवः ? भावस्तव एवाऽस्तु, अत्रोत्तरं-तद्वारेण-द्रव्यद्वारेणाऽल्पभावात्-स्तोकभावोपपत्तेरिति गाथार्थः ॥११५०॥ નોંધઃ ટીકામાં વિતાનુષ્ઠાનIિRUI છે તેને સ્થાને ચિંતાનુષ્ઠાનાIિRJI હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં પણ એ પ્રમાણે છે, અને મૂળગાવ્યા પ્રમાણે પણ એ પાઠ શુદ્ધ ભાસે છે. ટીકાર્ય : દિથી પૂર્વપક્ષી કહે છે – વિહિતપણું હોવાથી ઉચિત અનુષ્ઠાન હોવાના કારણે આ=દ્રવ્યસ્તવ, જે કારણથી વિચિત્ર યતિયોગતુલ્ય જ છે=વિવિધ પ્રકારના સાધુના વ્યાપાર સમાન જ છે, તે કારણથી દ્રવ્યસ્તવ કેવી રીતે થાય? ભાવસ્તવ જ હો. અહીં ઉત્તર પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – તેના દ્વારથી દ્રવ્ય દ્વારથી–ઉત્તમ પૂજાની સામગ્રી દ્વારા, અલ્પ ભાવ હોવાથી સ્તોક ભાવની ઉપપત્તિ હોવાથી=થોડા ભાવની પ્રાપ્તિ હોવાથી, દ્રવ્યસ્તવ કહેવાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સાધુ સંયમના યોગોમાં યત્ન કરે છે, તેથી સાધુનું અનુષ્ઠાન જેમ ઉચિત અનુષ્ઠાન છે, તેમ શ્રાવક પણ ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે ભગવાનની ભક્તિ આદિમાં યત્ન કરે છે, માટે શ્રાવકનું અનુષ્ઠાન પણ ઉચિત અનુષ્ઠાન છે તેમ સ્વીકારીએ તો, સાધુના જે ઉચિત અનુષ્ઠાનરૂપ વિવિધ પ્રકારના સંયમના યોગો છે તેમાંનો આ કોઈક એક પ્રકારનું ઉચિત અનુષ્ઠાન છે તેમ માનવું જોઈએ, તેથી આ દ્રવ્યસ્તવને ભાવસ્તવ જ કહેવો જોઈએ, દ્રવ્યસ્તવ કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવારૂપ જે દ્રવ્યસ્તવ કરે છે, તેમાં ભગવાનના ગુણોના બહુમાનરૂપ અલ્પ ભાવ છે, અને સાધુ સર્વ પદાર્થો પ્રત્યે મમત્વ વગરના થઈને, વીતરાગના વચનનું અવલંબન લઈને, અભિવૃંગનો સર્વથા ઉચ્છેદ કરવા માટે ઉદ્યમ કરવારૂપ જે ભાવસ્તવ કરે છે, તેમાં ભગવાનના ગુણોના બહુમાનરૂપ અધિક ભાવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની જે ભક્તિ કરે છે, તે શ્રાવકની ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન છે, અને તેમાં અલ્પ ઉત્તમ ભાવ છે; કેમ કે શ્રાવકનું ચિત્ત દ્રવ્યસ્તવકાળમાં પણ ધનાદિ પ્રત્યે રાગવાળું હોય છે, અને તે અલ્પ એવો ઉત્તમ ભાવ ભાવસ્તવનું કારણ છે, માટે તે દ્રવ્યસ્તવ છે; અને સાધુ બાહ્ય સામગ્રી વગર ભગવાનની આજ્ઞાનું જે પાલન કરે છે, તે સાધુની ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન છે, અને તેમાં અધિક ઉત્તમ ભાવ છે; કેમ કે સાધુનું ચિત્ત સંયમના સર્વ અનુષ્ઠાનકાળમાં વીતરાગ થવાના ઉપાયો સિવાય ક્યાંય રાગવાળું હોતું નથી, અને તે અધિક એવો ઉત્તમ ભાવ દ્રવ્યસ્તવનું કાર્ય છે, માટે તે ભાવસ્તવ છે. ૧૧૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy