SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૯-૧૧૫૦ ટીકાર્થ: વળી સૂયમાન વિશેષરૂપ વિષયભેદ હોવાને કારણે=ગૃહકરણાદિ અનુષ્ઠાનના વિષય કરતાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનના વીતરાગરૂપ વિષયનો ભેદ હોવાને કારણે, આ પણ દ્રવ્યસ્તવથી=અપ્રધાન પણ દ્રવ્યસ્તવથી, સાંસારિક જ ભોગાદિ ફળવિશેષ છે, પરંતુ આ=ભોગાદિ ફળવિશેષ, તુચ્છ છે. કયા કારણથી ભોગાદિ ફળવિશેષ તુચ્છ છે? તેથી કહે છે – જે કારણથી અકામનિર્જરા આદિ રૂપ પ્રકારતરથી પણ થાય છે=ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય અને એકાંતથી જ ભાવથી શૂન્ય એવાં પણ જિનભવનકારાદિ અનુષ્ઠાનનો વિષય ભગવાન છે. તેથી સ્તુતિના વિષયભૂત એવા ભગવાનરૂપ વિષયનો ભેદ હોવાને કારણે અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ સાંસારિક ભોગાદિરૂપ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, માટે ગૃહકરણાદિતુલ્ય અપ્રધાન દ્રવ્યસ્તવ નથી, એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – અપ્રધાન દ્રવ્યસ્તવથી પ્રાપ્ત થયેલું ભોગાદિ ફળ તુચ્છ છે; કેમ કે આવાં ભોગાદિ ફળ તો અકામનિર્જરા આદિ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. માટે ભોગાદિ ફળની પ્રાપ્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યસ્તવ ઉચિત કહી શકાય નહીં અર્થાત્ વીતરાગગામી જિનભવનકારણાદિ અનુષ્ઠાનથી ભોગાદિ ફળવિશેષ થાય છે અને ગૃહકરણાદિ અનુષ્ઠાનથી ભોગાદિ ફળવિશેષ થતા નથી, એટલામાત્રથી અપ્રધાન દ્રવ્યસ્તવને ઉચિત અનુષ્ઠાન કહી શકાય નહીં. ll૧૧૪લા અવતરણિકા : પ્રધાન દ્રવ્યસ્તવને ઉચિત અનુષ્ઠાન સ્વીકારીએ તો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે કોઈ ભેદ રહે નહીં, એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે – ગાથા : उचियाणुढाणाओ विचित्तजइजोगतुल्ल मो एस । जं ता कह दव्वथओ ? तद्दारेणऽप्पभावाओ ॥११५०॥ અન્વયાર્થ : નં જે કારણથી વરિયાકામો-ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે આ દ્રવ્યસ્તવ, વિવિગફળો તુ મોવિચિત્ર યતિયોગતુલ્ય જ છે, તાકતે કારણથી ત્રણ વદ ? દ્રવ્યસ્તવ કેવી રીતે થાય? (આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –) તારે ડિપમાવાગો તેના દ્વારથી અલ્પ ભાવ હોવાથી દ્રવ્ય દ્વારા થોડો ભાવ થતો હોવાથી, (દ્રવ્યસ્તવ કહેવાય છે.) * “ો' પ્રકાર અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે દ્રવ્યસ્તવ વિવિધ પ્રકારના સાધુના ચોગ તુલ્ય જ છે, તે કારણથી દ્રવ્યસ્તવ કેવી રીતે કહેવાય? એમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર જવાબ આપે છે – દ્રવ્ય દ્વારા થોડો ભાવ થતો હોવાથી દ્રવ્યસ્તવ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy