SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૪૮-૧૧૪૯ શું છે? તેની શોધ કરે, અને ઔચિત્યનો નિર્ણય થયા પછી શ્રાવક તે અનુષ્ઠાનના સેવનવિષયક ઔચિત્યપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે, જેથી તે અનુષ્ઠાન ઔચિત્યના અનવેષણાદિથી યુક્ત બનવાને કારણે ઉચિત દ્રવ્યસ્તવરૂપ બને છે, જે દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ હોવાથી ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ છે. I૧૧૪૮ અવતરણિકા : ગાથા ૧૧૪૬માં કહેલ કે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો આજ્ઞાવિપરીત એવા ગૃહકરણાદિને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને ગાથા ૧૧૪૭૧૧૪૮માં તે કથનની જ પુષ્ટિ કરી. ત્યાં પ્રશ્ન થાય કે આજ્ઞાવિપરીત એવા પણ જિનભવનકારણાદિ અનુષ્ઠાનનું ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, જ્યારે ગૃહકરણાદિ અનુષ્ઠાનનું ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થતું નથી, આથી આજ્ઞાવિપરીત જિનભવનકારાદિ અને ગૃહકરણાદિ વચ્ચે ભેદ છે. માટે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિને ઉચિત અનુષ્ઠાન કહી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકાર કહે છે – ગાથા : भोगाइफलविसेसो उ अस्थि एत्तो वि विसयभेएणं । तुच्छो उ तओ जम्हा हवइ पगारंतरेणा वि ॥११४९॥ અન્વયાર્થ : વિથમેuvi =વળી વિષયભેદ હોવાને કારણે પ્રો વિ=આનાથી પણ=અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ, મોફિવિશેનો અત્વિકભોગાદિ ફળવિશેષ છે, તો ૩=પરંતુ આ ભોગાદિ ફળવિશેષ, તુચ્છો તુચ્છ છે; જે કારણથી પરંતરે IT વિ દવઠ્ઠ પ્રકારતરથી પણ થાય છે=અકામનિર્જરા આદિ અન્ય પ્રકારથી પણ ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ : વળી વિષયભેદ હોવાને કારણે અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ ભોગાદિ ફળવિશેષ છે, પરંતુ આ તુચ્છ છે; જે કારણથી અકામનિર્જરા આદિ અન્ય પ્રકારથી પણ ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. ટીકા? भोगादिफलविशेषस्तु सांसारिक एवाऽस्त्यतोऽपि द्रव्यस्तवात् सकाशाद् विषयभेदेन स्तूयमान'विशेषेण, तुच्छस्त्वसौ भोगादिफलविशेषः, कस्माद् ? भवति प्रकारान्तरेणाऽपि-अकामनिर्जरादिना यत રૂતિ થાર્થઃ ૨૨૪. * “પત્તો વિ''માં પિ'થી એ દર્શાવવું છે કે પ્રધાન દ્રવ્યસ્તવથી તો ભોગાદિ ળવિશેષ થાય છે, પરંતુ આનાથી પણ અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ, ભોગાદિ ળવિશેષ થાય છે. 4 “TTTTT વિલ'માં “મપિ'થી એ જણાવવું છે કે અપ્રધાન દ્રવ્યસ્તવરૂપ એક પ્રકારથી તો ભોગાદિ ળવિશેષ થાય છે, પરંતુ એકામનિર્જરાદિરૂપે અન્ય પ્રકારથી પણ ભોગાદિ ળવિશેષ થાય છે. * “ મોહનવિસ''માં “મારિ'થી શરીરબળ, ભોગ ભોગવવાની શક્તિ આદિ ળવિશેષનો સંગ્રહ છે. * “મહાનિરવિના'માં ‘માર'થી તેવા પ્રકારના તુચ્છ પુણ્યનો સંગ્રહ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy