SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૮ કૃતિ ઞજ્ઞાનિરપેક્ષતયા એથી આશાનિરપેક્ષપણું હોવાને કારણે તદ્ અનુષ્ઠાન વીતાવી વિષયેપ તા: ૧ રૂતિ દ્રવ્યસ્તવ: 7, તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ તે નથી=દ્રવ્યસ્તવ નથી; ..........ારળત્વેન, કયા કારણથી તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નથી ? એથી કહે છે – ભાવસ્તવનું અહેતુપણું હોવાથી=ભાવસ્તવનું અકારણપણું હોવાથી, તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ દ્રવ્યસ્તવ નથી, એમ અન્વય છે. ४७ વળી તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ કેવા પ્રકારનો દ્રવ્યસ્તવ નથી ? તે સ્પષ્ટ કરે છે ષિત કૃતિ થામૃત: ઉચિત=યથાભૂત=ભગવાનની આજ્ઞા અનુસાર, એવો દ્રવ્યસ્તવ નથી એમ પૂર્વ સાથે અન્વય છે. તેનું જ તાત્પર્ય ખોલે છે – ભાવસ્તવાડું ન ભાવસ્તવનું અંગ નથી, પ્રધાન: તુ મતિ પરંતુ અપ્રધાન દ્રવ્યસ્તવ છે. કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહ્યું કે વીતરાગગામી ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એ પ્રકારે અનુષ્ઠાનમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિ કરવામાં આવે તો ‘ઉચિત’ શબ્દથી આજ્ઞાની આરાધના પ્રાપ્ત થાય. એ કથનની જ પ્રસ્તુત દ્રવ્યસ્તવમાં યોજના કરીને બતાવે છે - જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય હોય અને ભગવાન પ્રત્યેના બહુમાનઅંશરૂપ ભાવથી એકાંતે જ શૂન્ય હોય, તે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઔચિત્યના અન્વેષણાદિથી યુક્ત અનુષ્ઠાન ભગવાનની આજ્ઞા અનુસાર હોવાથી અવશ્ય ચારિત્રપ્રાપ્તિનું કારણ બને છે, અને કદાચ અનુષ્ઠાન કોઈ ઔચિત્યના અન્વેષણાદિથી યુક્ત નહીં હોવા છતાં કંઈક ભગવાન પ્રત્યેના બહુમાનભાવથી યુક્ત હોય તોપણ તે અનુષ્ઠાન સામગ્રી પ્રાપ્ત થતાં ઔચિત્યના અન્વેષણાદિનું કારણ બને તેવું હોવાથી ક્રમે કરીને ચારિત્રપ્રાપ્તિનું કારણ બને છે; પરંતુ જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી પણ રહિત હોય અને એકાંતે જ ભગવાન પ્રત્યેના બહુમાનભાવથી રહિત હોય, માત્ર લોકસંજ્ઞા આદિને વશ થઈને જે અનુષ્ઠાન કરાતું હોય, તે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ છે; અને જે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ હોય તે અનુષ્ઠાન કદાચ વીતરાગાદિના વિષયમાં હોય તોપણ તે અનુદાન દ્રવ્યસ્તવ બનતું નથી; કેમ કે આવું અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ નથી. આથી જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિપૂર્વક કરાતું હોય તે અનુષ્ઠાન સાક્ષાદ્ ભાવસ્તવનું કારણ છે, અને કોઈ જીવમાં વિશેષ વિવેક નહીં પ્રગટ્યો હોવાને કારણે તે જીવ જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી રહિત હોવા છતાં ભવથી વિરક્ત થઈને ગુણવાન એવા ભગવાન પ્રત્યેના બહુમાનથી કરાતું હોય તો, તે અનુષ્ઠાન પણ પરંપરાએ ભાવસ્તવનું કારણ છે. આથી આવું અનુષ્ઠાન પ્રધાન દ્રવ્યસ્તવરૂપ છે, અને તે સિવાયનાં વીતરાગગામી પણ અનુષ્ઠાન ઉચિત દ્રવ્યસ્તવરૂપ નથી અર્થાત્ ભાવસ્તવનું અંગ નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યસ્તવરૂપ છે. Jain Education International ટીકામાં ‘ઔચિત્યાન્વેષળાવિશૂન્યં’’ છે, ત્યાં ‘આવિ' પદથી ઔચિત્યની પ્રવૃત્તિનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જિનભવનકારણાદિ અનુષ્ઠાન કરતી વખતે શ્રાવક આ અનુષ્ઠાનના સેવનવિષયક ઔચિત્ય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy