SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૦ સ્વાત્થી પૂર્વપક્ષી કહે – ઉચિત જ એવું જે વીતરાગગામી અનુષ્ઠાન હોય તે દ્રવ્યસ્તવ છે. ‘કૃત્તિ’ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિમાં છે. અહીં કહે છે=પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે – તેમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિથી=અનુષ્ઠાનમાં ઉચિતને શોધવાની પ્રવૃત્તિથી, આજ્ઞાનું આરાધન આવું છે=ઉચિત છે. માટે આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એમ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ૪૫ પૂર્વગાથામાં કહ્યું કે આજ્ઞાથી વિપરીત જિનભવનકા૨ણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો ગૃહકરણાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવારૂપ અતિપ્રસંગ પ્રાપ્ત થાય. ત્યાં પૂર્વપક્ષી કહે કે વીતરાગગામી અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાય, અને ગૃહકરણાદિ અનુષ્ઠાન વીતરાગગામી નથી. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે ભગવાનની આજ્ઞાથી વિપરીત પણ જિનભવનકારણાદિ અનુષ્ઠાન વીતરાગગામી હોવાથી દ્રવ્યસ્તવ છે, અને ગૃહકરણાદિ અનુષ્ઠાન વીતરાગગામી નહીં હોવાથી દ્રવ્યસ્તવ નથી. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – કોઈ પુરુષ ભગવાનને ગાળો આપે તો તે ગાળોનો વિષય વીતરાગ છે, તેથી તે વીતરાગગામી ગાળો આપવાની પ્રવૃત્તિને પણ દ્રવ્યસ્તવ કહેવું પડે; કેમ કે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનનો વિષય જેમ વીતરાગ છે, તેમ ગાળો આપવાની પ્રવૃત્તિનો વિષય પણ વીતરાગ છે. તેથી જિનભવનકારણાદિમાં અને ગાળો આપવાની પ્રવૃત્તિમાં વિષયભૂત વીતરાગરૂપ નિમિત્ત સમાન છે. આથી જિનાજ્ઞાનિરપેક્ષ જિનભવનકારણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતા હોય તો ભગવાનને ગાળો આપવાની પ્રવૃત્તિ પણ દ્રવ્યસ્તવ બનવી જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે — ઉચિત એવું જે અનુષ્ઠાન વીતરાગગામી હોય તે અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાય; અને ભગવાનને ગાળો આપવાની પ્રવૃત્તિ વીતરાગગામી હોવા છતાં ઉચિત અનુષ્ઠાન નથી, માટે તેને દ્રવ્યસ્તવ કહી શકાય નહીં; પરંતુ આજ્ઞાનિરપેક્ષ જિનભવનકારણાદિની પ્રવૃત્તિ વીતરાગગામી છે અને ઉચિત અનુષ્ઠાન છે, માટે તેને દ્રવ્યસ્તવ કહી શકાય. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – પૂર્વપક્ષી આ રીતે અનુષ્ઠાનમાં ઉચિતને શોધવાની પ્રવૃત્તિ કરતો હોય, તો ભગવાનની આજ્ઞા અનુસારે કરાતું અનુષ્ઠાન ઉચિત છે, અને ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ થઈને કરાતું અનુષ્ઠાન ઉચિત નથી, એમ પૂર્વપક્ષીને સ્વીકારવું પડે. અને પૂર્વપક્ષી એમ સ્વીકારતો હોય તો એ પ્રાપ્ત થાય કે ભગવાને દ્રવ્યસ્તવ ચારિત્રના હેતુરૂપે કરવાનું કહેલ છે, તેથી તેવા આશયપૂર્વક કરાયેલ જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉચિત બને, અને સ્વચ્છંદપણાથી કરાયેલ જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉચિત બને નહીં. આથી નક્કી થાય કે આજ્ઞાનિરપેક્ષ જિનભવનકા૨ણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નથી; છતાં તેને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારીએ તો સંસારના ગૃહકરણાદિ સર્વ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો પ્રસંગ આવે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૧૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy