SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૪૪ ગાથા : विहिआणुट्ठाणमिणं ति एवमेअं सया करिताणं । होइ चरणस्स हेऊ णो इहलोगादविक्खाए ॥११४४॥ અન્વયાર્થ: ફvi વિદિમાગુટ્ટાઇi=આ=જિનભવનકારણાદિ, વિહિત અનુષ્ઠાન છે, તિ એ પ્રકારે (અને) પર્વઆ પ્રકારે જિનભવનકારણાદિ ચરણનો હેતુ છે એ પ્રકારે, (ચિત્તમાં ધારણ કરીને) સંઆને=જિનભવનાદિને, સ-સદા ચિંતા કરતા એવા શ્રાવકોને (દ્રવ્યસ્તવ) વરસ દેશ ચરણનો=ચારિત્રનો, હેતુ દોડું થાય છે, રૂહો વિવવા નો ઈહલોકાદિની અપેક્ષાથી નહીં આ લોક વગેરેની આશંસાથી કરાયેલો દ્રવ્યસ્તવ ચરણનો હેતુ થતો નથી. ગાથાર્થ : જિનભવનકરાવણાદિ વિહિત અનુષ્ઠાન છે એ પ્રકારે અને જિનભવનકરાવણાદિ ચારિત્રનો હેતુ છે એ પ્રકારે, ચિત્તમાં ધારણ કરીને જિનભવનાદિને સદા કરતા શ્રાવકોને દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ થાય છે, આ લોક વગેરેની આશંસાથી કરાયેલો દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ થતો નથી. ટીકા : विहितानुष्ठानमिदमित्येवं च चेतस्याधाय एतत् सदा कुर्वतां भवति चरणस्य हेतुरेतदेव, नेहलोकाद्यपेक्षया, आदिशब्दात्कीर्त्यादिपरिग्रह इति गाथार्थः ॥११४४॥ * “વીર્વારિ'માં ‘માર' શબ્દથી પરલોક અને અનાભોગનો પરિગ્રહ છે. ટીકાઈઃ આ=જિનભવનકારણાદિ, વિહિત અનુષ્ઠાન છે=શ્રાવકને કર્તવ્યપણારૂપે આગમમાં અનુમત એવું અનુષ્ઠાન છે, એ પ્રકારે, અને આ પ્રકારે=ચારિત્રનો હેતુ છે એ પ્રકારે, ચિત્તમાં આધાન કરીને આને જિનભવનાદિને, સદા કરતા એવા શ્રાવકોને, આ જ=જિનભવનાદિનું કરણ જ, ચરણનો હેતુ થાય છે. ઈહલોકાદિની અપેક્ષાથી નહીં આ લોકની આશંસા આદિને આશ્રયીને કરાયેલ દ્રવ્યસ્તવ ચરણનો હેતુ થતો નથી. ‘મા’ શબ્દથી “ત્નોરિ”માં રહેલ “સદ્ધિ' શબ્દથી, કીર્તિ આદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભગવાન વડે સર્વ અનુષ્ઠાનો મોક્ષપ્રાપ્તિ માટે વિધાન કરાયેલ છે, અને મોક્ષપ્રાપ્તિનો ઉપાય વીતરાગતા છે, અને વીતરાગતા સંયમના પરિણામથી આવે છે. આથી સર્વ વિહિત અનુષ્ઠાન ક્રમે કરીને વીતરાગતામાં પર્યવસાન પામે છે, આ પ્રકારનો નિયમ છે. વળી, “શ્રાવક માટે આ દ્રવ્યસ્તવ ભગવાન વડે વિહિત છે, અને આ દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ છે” એ પ્રકારે ચિત્તમાં સ્થાપન કરીને જે શ્રાવકો સદા દ્રવ્યસ્તવ કરે છે, તે શ્રાવકોના તે અનુષ્ઠાનો ચારિત્રનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy