SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૨-૧૧૪૩, ૧૧૪૪ ગાથાર્થ: વિવિધ પ્રકારનું નૈવેધ ચઢાવવું, આરતી વગેરે કરવું, વિધિપૂર્વક ધૂપ કરવો, સ્તુતિ બોલવી, ચૈત્યવંદન કરવું, અને શક્તિ પ્રમાણે ગીત ગાવું, વાજિંત્ર વગાડવું, નૃત્ય કરવું, દાનાદિ કરવું. ટીકા : विविधं निवेदनमिति चित्रं निवेद्यम्, आरत्रिकादि, तदनु धूपः, तथा स्तवः, तदनु वन्दनं विधिना विश्रब्धादिना, तथा यथाशक्ति सङ्गीतवादित्रनर्त्तनदानादि चैव, आदिशब्दादुचितस्मरणमिति गाथार्थः ॥o૪૨૫ ટીકાર્યઃ વિવિધ નિવેદન=ચિત્ર નિવેધ=વિવિધ પ્રકારનું નૈવેદ્ય અર્પણ કરવું, આરત્રિક આદિ=આરતી અને મંગળ દીવો કરવો, ત્યારપછી ધૂપ અને સ્તવ કરવો. ત્યારપછી વિશ્રધ્ધાદિ વિધિ વડે વંદન=ચૈત્યવંદન કરવું, અને તે રીતે યથાશક્તિ સંગીત, વાજિંત્ર, નર્તન, દાન આદિ કરવું. ‘આવિ' શબ્દથી=‘વનવિ’’માં ‘આવિ’ શબ્દથી, પ્રાપ્ત એવું ઉચિતનું સ્મરણ કરવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ૩૯ 1 જિનપ્રતિમાની પૂજા કરતી વખતે શ્રાવક પ્રથમ સુગંધી ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા જિનપ્રતિમાનો પ્રક્ષાલ કરે, ત્યા૨૫છી કેસર વગેરે ઉત્તમ દ્રવ્યોથી પ્રતિમા ઉપર વિલેપન કરે, ત્યારપછી અત્યંત સુગંધવાળાં અને દેખાવમાં મનોહર એવાં ફૂલો ચઢાવે, પરંતુ સુગંધ વગરનાં અને દેખાવમાં મનોહર ન હોય તેવાં કે ચીમળાઈ ગયેલાં હોય તેવાં પુષ્પાદિ ચઢાવે નહીં. વળી, ભગવાનની અંગપૂજા કર્યા પછી નૈવેદ્ય ચઢાવી, આરતી-મંગળદીવો કરે, ત્યારપછી ધૂપ કરે, સ્તુતિઓ બોલે, ત્યારપછી “આ જ ભગવાન મને સંસારસાગરથી તારનારા છે” એ પ્રકારની શ્રદ્ધા અને ઉપયોગના અતિશયપૂર્વક ચૈત્યવંદન કરે. ત્યારપછી શક્તિ પ્રમાણે સંગીત કરે, વાજિંત્ર વગાડે, નૃત્ય કરે અને દાનાદિ કરે, જે સર્વ પોતાને ભગવાનની ભક્તિ ક૨વાથી ઉત્પન્ન થયેલા હર્ષની અભિવ્યક્તિરૂપ છે. અહીં ‘‘વાનાવિ’’માં ‘આવિ’ પદથી ઉચિતનું સ્મરણ ગ્રહણ કર્યું, એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની ભક્તિ કરીને અત્યંત ભાવિતચિત્તવાળા શ્રાવકને ભગવાનના ગુણોનું વારંવાર સ્મરણ થયા કરે, અને તે હર્ષના અતિરેકથી શ્રાવક ભગવાન સામે સંગીત, નૃત્ય કરે અને વાજિંત્ર વગાડે, તેમ જ પોતાને કોઈ ઉત્તમ ભક્તિનો પરિણામ થયો છે તેના હર્ષરૂપે અનુકંપાદિ દાન કરે, અને પોતાને કરવા યોગ્ય કૃત્યોનું સ્મરણ કરે. ॥૧૧૪૨/૧૧૪૩) Jain Education International અવતરણિકા : અત્યાર સુધી જિનભવનકરાવણાદિરૂપ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવ્યું. હવે આ દ્રવ્યસ્તવ ચારિત્રરૂપ ભાવસ્તવનો હેતુ કઈ રીતે બને છે ? તે બતાવે છે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy