SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૧ ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક શુચિત્વાદિ વિધિથી જિનપ્રતિમાની પ્રતિદિન પૂજા કરે. તેથી હવે તે શુચિત્વાદિ વિધિને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जिणपूआए विहाणं सुईभूओ तीइ चेव उवउत्तो । अण्णंगमच्छिवंतो करेइ जं पवरवत्थूहि ॥११४१॥ અન્વયાર્થ: સુગૂગો-શુચિભૂત=પવિત્ર થયેલો, તીરૂ રેવ યુવકો તેમાં જ=પૂજામાં જ, ઉપયુક્ત, ૩vi fછવંતો અન્ય અંગને નહીં સ્પર્શતો, પવરવધૂર્દિ પ્રવર વસ્તુઓ વડે નં રેડ્ડ-જેને=જે પૂજાને, કરે છે, (એ) નિપૂણ વિહાઇજિનપૂજાનું વિધાન છે. ગાથાર્થ : પવિત્ર થયેલો, પૂજામાં જ ઉપયોગવાળો, અન્ય અંગને નહીં સ્પર્શતો એવો શ્રાવક શ્રેષ્ઠ દ્રવ્યો વડે જે પૂજાને કરે છે, એ ભગવાનની પૂજા કરવાની વિધિ છે. ટીકા? जिनपूजाया विधानमेतत्, शुचिभूतः सन् स्नानादिना तस्यामेव-पूजायामुपयुक्तः प्रणिधानवान् अन्यदङ्ग-शिरःप्रभृत्यस्पृशन् करोति यां पूजां प्रवरवस्तुभिः-सुगन्धिपुष्पादिभिरिति गाथार्थः ॥११४१॥ ટીકાર્થ: સ્નાનાદિ દ્વારા શુચિભૂત છતા=પવિત્ર થયેલ છતા, તેમાં જ=પૂજામાં જ, ઉપયુક્ત=પ્રણિધાનવાળા, શિર વગેરે અન્ય અંગને નહીં સ્પર્શતા એવા શ્રાવક સુગંધવાળાં પુષ્પાદિ પ્રવર વસ્તુઓથી=શ્રેષ્ઠ દ્રવ્યોથી, જે પૂજાને કરે છે, એ જિનપૂજાનું વિધાન છે=ભગવાનની પૂજા કરવાની વિધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનપ્રતિમાની પૂજા કરતી વખતે શ્રાવક સ્નાન વગેરે કરવા દ્વારા પવિત્ર થાય, “ભગવાનની ભક્તિ કરીને હું સંસારસાગરથી પાર પામું” એ પ્રકારે પૂજામાં પ્રણિધાનવાળા થાય, અને આવા પ્રણિધાનથી જ સંસારસાગરને પાર પામવાના ઉપાયભૂત ભગવાનના ગુણોમાં ચિત્તને યોજીને પૂજા કરે; તેમ જ પોતાનાં મસ્તક વગેરે અંગોને પોતાના હાથ સ્પર્શે નહીં તેનો શ્રાવક ઉપયોગ રાખે; કેમ કે પોતાના હાથ શરીરનાં અંગોને સ્પર્શે તો પોતાના શરીરમાંથી નીકળતાં અશુદ્ધ પુગલો પોતાના હાથ ઉપર લાગે, અને તેવા હાથથી ભગવાનની પૂજા કરવાથી તે અશુદ્ધ પુદ્ગલો ભગવાનની પ્રતિમા ઉપર લાગે, જેથી ભગવાનની આશાતના થાય. આથી તે આશાતનાના પરિહાર અર્થે પોતાના હાથ પોતાના શરીરને કે વસ્ત્રોને સ્પર્શે નહીં તે માટે શ્રાવક યત્ન કરે, અને શ્રેષ્ઠ કોટિનાં સુગંધી પુષ્પો વગેરે દ્રવ્યોથી ભગવાનની પ્રતિમાની પૂજા કરે, જેથી પોતાના ભાવોનો પ્રકર્ષ થાય. ll૧૧૪૧il. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy