SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૫-૧૧૩૬ અહીં ચતુર્વિધ શ્રીસંઘથી ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું ગ્રહણ થાય છે અને સમ્યગ્દષ્ટિનું પણ ગ્રહણ થાય છે. તેથી ચૌદ રાજલોકઅંતર્ગત ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા દેવો, નારકીઓ, મનુષ્યલોકમાં વર્તતા સાધુ-સાધ્વીઓ, શ્રાવકશ્રાવિકાઓ અને દેશવિરતિધર કે સમ્યગ્દષ્ટિ તિર્યંચો; આ સર્વનું ચતુર્વિધ શ્રીસંઘથી ગ્રહણ થાય છે; અને આ સર્વની પૂજા એ સંઘપૂજા છે, તોપણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક આ શ્રીસંઘના એક દેશની જ પૂજા કરે છે; કેમ કે શ્રાવક માટે સંપૂર્ણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા શક્ય નથી; આમ છતાં વિવેકસંપન્ન શ્રાવક જાણતા હોય છે કે આ સંસારમાં રહેલા સર્વ ગુણવાન જીવો ચતુર્વિધ શ્રીસંઘમાં અંતર્ભાવ પામે છે, તેથી શ્રીસંઘના એક દેશની પૂજા કરતી વખતે શ્રાવક “ચૌદરાજલોકવર્તી સર્વ શ્રીસંઘની હું પૂજા કરું છું” એવો અધ્યવસાય કરે છે. માટે સંઘપૂજાકાળમાં શ્રાવકને શ્રીસંઘવર્તી સર્વ જીવોના ગુણો પ્રત્યે બહુમાન થાય છે; જયારે ધર્માચાર્યાદિની પૂજા કરતી વખતે શ્રાવકને માત્ર “પ્રસ્તુત ધર્માચાર્યાદિની હું પૂજા કરું છું” એવો અધ્યવસાય હોય છે. આથી ધર્માચાર્યાદિની પૂજાથી શ્રાવકને જે નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેનાથી કંઈ ગણી નિર્જરાની પ્રાપ્તિ ચતુર્વિધ શ્રીસંઘની પૂજાથી થાય છે. ૧૧૩પી. અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે=વિષયનું મહાનપણું હોવાથી ધર્માચાર્યાદિગત પૂજા કરતાં પણ શ્રીસંઘની પૂજા બહુ ગુણવાળી છે એને જ કહે છે – ગાથા : गुणसमुदाओ संघो पवयण तित्थं ति होंति एगट्ठा । तित्थयरो वि अ एअं णमए गुरुभावओ चेव ॥११३६॥ અન્વયાર્થ : TUTHકુમો સંયોગુણનો સમુદાય સંઘ છે. પવય નિત્યં પ્રવચન, તીર્થ તિ એ એકાર્થ હોંતિ છે. ગુમાવો વેવ અ અને ગુરુભાવ હોવાથી જ તિસ્થ વિનતીર્થંકર પણ 3 આને=શ્રીસંઘને, મનમે છે. ગાથાર્થ : ગુણનો સમુદાય શ્રીસંઘ છે. પ્રવચન, તીર્થ એ પર્યાયવાચી છે, અને ગુરભાવ હોવાથી જ તીર્થકર પણ શ્રીસંઘને નમે છે. ટીકા : गुणसमुदायः सङ्घ, अनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, प्रवचनं तीर्थमिति भवन्त्येकार्थिकाः Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy