SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૫ ૨૯ વધુITબહુ ગુણવાળી છે; વં=જે કારણથી પણ સંધો=આ સંઘ સુશ્રુતમાં=આગમમાં, તિસ્થરપાંતરો તીર્થકર અનંતર મળિો કહેવાયો છે. ગાથાર્થ : શક્તિથી સંઘની પૂજા કરવી, સંઘની પૂજા આચાર્યાદિની પૂજા કરતાં ઘણા ગુણવાળી છે; જે કારણથી આ સંઘ આગમમાં તીર્થકર અનંતર કહેવાયો છે. ટીકા : शक्त्या सपूजा विभवोचितया, किमित्यत आह-विशेषपूजाया-दिगादिगतायाः सकाशाद्बहुगुणा एषा-सङ्घपूजा, विषयमहत्त्वाद्, एतदाह-यदेष श्रुते भणितः आगम उक्तः तीर्थकरानन्तरः सङ्घः, इत्यतो महानेष इति गाथार्थः ॥११३५॥ * પંચાશક ગ્રંથ-૮/૩૮માં તીર્થરાનન્ત: શબ્દનો ત્રણ રીતે સમાસ ખોલેલ છે. તેમાંથી પ્રસ્તુતમાં એક રીતે સમાસ ખોલીને બતાવેલ છે, તે નીચે પ્રમાણે : તીર્થ: નાર: યસ્માત્ : તીર્થરનાર: તીર્થકર છે પછી જેનાથી તે તીર્થકરાનન્તર-તીર્થંકરથી મહાન. ટીકાર્ય : વૈભવને ઉચિત એવી શક્તિથી સંઘની પૂજા કરવી, કયા કારણથી ? એથી કહે છે – દિગાદિગતધર્માચાર્યાદિગત, વિશેષ પૂજા કરતાં આ સંઘની પૂજા, બહુ ગુણવાળી છે; કેમ કે વિષયનું મહાનપણું છેઃ પૂજાના વિષયભૂત એવા સંઘનું દિગાચાર્યાદિ કરતાં મહાનપણું છે. આને કહે છે દિગાચાર્યાદિ કરતાં સંઘ મહાન છે અને સ્પષ્ટ કરે છે – જે કારણથી આ સંઘ શ્રુતમાં=આગમમાં, તીર્થકરાનન્તર=તીર્થકરથી મહાન, કહેવાયો છે, એથી આ= સંઘ, મહાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રાવક જિનભવનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવ્યા પછી પોતાના વૈભવને અનુરૂપ સંઘની પૂજા કરે, અને આ સંઘપૂજા ધર્માચાર્યાદિની પૂજા કરતાં પણ વધારે ગુણવાળી છે, અર્થાત્ પ્રતિષ્ઠા કરાવ્યા પછી પ્રતિષ્ઠા કરનાર આચાર્યાદિની જે પ્રકારે પૂજા કરવામાં આવે છે તેના કરતાં અધિક ગુણવાળી સંઘની પૂજા છે, આથી શ્રાવક પોતાની શક્તિ ગોપવ્યા વગર સંઘની પૂજા કરે. વળી, આ સંઘપૂજા મહાન કેમ છે? તે સ્પષ્ટ કરવા હેતુ આપ્યો કે વિષયનું મહાનપણું છે, અને તેને સ્પષ્ટ કરવા ખુલાસો કર્યો કે આ સંઘ આગમમાં તીર્થકરાનન્તર કહેવાયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જગતમાં જે કોઈ ગુણવાન પુરુષોની નિષ્પત્તિ થાય છે તેનું ઉત્પત્તિસ્થાન આ શ્રીસંઘ છે; કેમ કે ચતુર્વિધ શ્રીસંઘના બળથી જ જીવો તીર્થંકર નામકર્મ બાંધે છે અને તીર્થંકર થાય છે; આથી તીર્થકરો માટે પણ સંઘ પૂજાપાત્ર છે. તેથી પોતાની ઉત્પત્તિના કારણભૂત એવા આ શ્રીસંઘને તીર્થકરો પણ નમસ્કાર કરે છે, અને તે સંઘપૂજાનો વિષય ચતુર્વિધ શ્રીસંઘ છે, માટે દિગાચાર્યાદિની પૂજા કરતાં પણ શ્રીસંઘની પૂજા મહાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy