SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૨૩ થી ૧૧૫, ૧૧૨૬ ભાવાર્થ : જિનભવનનું નિર્માણ કરતી વખતે વિવેકી શ્રાવક કામ કરનારા કારીગરોને ઠગે નહીં, પણ તેઓ જેટલું કામ કરે છે તેનાથી અધિક ધન આપે; વળી તે અધિક ધન માન-ખ્યાતિ મેળવવાના આશયથી આપે નહીં, પરંતુ કારીગરો ઉલ્લાસથી અધિક સારું કાર્ય કરે એ રૂપ દષ્ટ ફળ પ્રાપ્ત થાય, અને અધિક ધન આપનારની ઉદારતા જોઈને કેટલાક કારીગરોને જિનશાસન પ્રત્યે સદ્ભાવ થવાથી બોધિબીજનું આધાન થાય એ રૂપ અદષ્ટ ફળ પ્રાપ્ત થાય, એવા આશયથી વિવેકસંપન્ન શ્રાવક ઉદારતાપૂર્વક કારીગરોને અધિક ધન આપે. વળી, શ્રાવકની આવા પ્રકારની ઉદારતાપૂર્વકની પ્રવૃત્તિ જોઈને કેટલાક કારીગરોને “જૈનધર્મના આચારો શ્રેષ્ઠ ઉદારતાવાળા છે” એવી બુદ્ધિ થાય છે, જેથી તેઓ ધર્મની પ્રશંસા કરે છે, જેના કારણે તેઓને બોધિબીજની પ્રાપ્તિ થાય છે, કેમ કે શ્રેષ્ઠ આચાર પ્રત્યેનો પક્ષપાત બોધિબીજનું કારણ છે; પરંતુ કારીગરોને અધિક ધન મળવાને કારણે “આ ધર્મ સારો છે” તેવી બુદ્ધિ માત્ર થયેલી હોય તો તેવી ધર્મની પ્રશંસા બોધિબીજનું કારણ બનતી નથી. આથી જેમનાં કર્મો કાંઈક લઘુ થયાં છે, તેવા જે હળુકર્મી જીવો છે તેઓ શ્રાવકના શ્રેષ્ઠ આચારને જોઈને ધર્મની પ્રશંસા કરે છે, તેઓને બોધિબીજની પ્રાપ્તિ થાય છે, અને બીજા કેટલાક જીવો જિનશાસનના ઔદાર્યનો પક્ષપાત થવાથી જૈનધર્મ સ્વીકારે છે. આમ, કારીગરો સાથે ઉદારતાપૂર્વકનું વર્તન કરવાથી તેઓને સન્માર્ગની પ્રાપ્તિ પણ થાય છે. વળી, વિવેકી શ્રાવકની ઉદારતાવાળી પ્રવૃત્તિ જોઈને કેટલાક ભદ્રક અને મુગ્ધ જીવોને “આ ધર્મ સુંદર છે” તેવી બુદ્ધિ થવાથી લોકમાં સાધુવાદ થાય છે, અને કેટલાક પ્રજ્ઞાવાળા અને વિચારક જીવોને “આ ધર્મ ઉત્તમ પુરુષથી કહેવાયેલો છે એવી બુદ્ધિ થવાથી તીર્થની પ્રભાવના થાય છે, અર્થાત્ જિનમંદિરના નિર્માણ વખતે પણ આવા પ્રકારની દયા જોઈને “આ ધર્મ દયાપ્રધાન છે” તેવી બુદ્ધિ થવાથી યોગ્ય જીવોને એમ જણાય છે કે “આવો ધર્મ કોઈ પુરુષવિશેષે બતાવ્યો છે”, જેથી ભગવાનના શાસનની પ્રભાવના થાય છે. અહીં વિશેષ એ છે કે જે શ્રાવક હૈયામાં ભગવાનના શાસનની પ્રભાવના કરવાના આશયપૂર્વક કારીગરો સાથે ઉદારતાથી વર્તન કરે છે, તે શ્રાવક, અન્ય જીવોને જે બોધિબીજની પ્રાપ્તિ થાય, કેટલાક જીવો માર્ગ સ્વીકારે, લોકમાં સાધુવાદ થાય અને તીર્થની પ્રભાવના થાય, તેમાં નિમિત્તભાવ બનવાથી નિર્જરારૂપ ફળનો ભાગી બને છે; પરંતુ જે શ્રાવક પ્રધાનતાથી માન-ખ્યાતિ મેળવવાના આશયપૂર્વક કારીગરો સાથે ઉદારતાથી વર્તન કરે છે, અને કદાચ તેના ઉદાર વર્તનને કારણે પૂર્વમાં કહેલા ફળો પ્રાપ્ત થાય તોપણ તે શ્રાવકના પરિણામની વિશુદ્ધિ નહીં હોવાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી. ./૧૧૨૩/૧૧૨૪/૧૧૨પા અવતરણિકા: उक्तं फलं भृतकानतिसन्धाने, स्वाशयवृद्धिमाह - અવતરણિયાર્થ: મૃતકોના અતિસંધાનમાં ફળ કહેવાયું કર્યકરોને નહીં ઠગવામાં પ્રાપ્ત થતું દષ્ટ ફળ અને અષ્ટ ફળ કહેવાયું, હવે સુઆશયની વૃદ્ધિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy