SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૪૮-૧૩૪૯ ૩૧૫ ટીકાઃ उत्तममिदं गणधरपदं जिनवरैर्लोकोत्तमैर्भगवद्भिः प्रज्ञप्तम्, उत्तमफलसञ्जनकं-मोक्षजनकमित्यर्थः, उत्तमजनसेवितं गणधराणामुत्तमत्वात् लोक इति गाथार्थः ॥१३४८॥ ટીકાર્ય : લોકોત્તમ એવા જિનવર વડે=ભગવાન વડે, પ્રજ્ઞપ્ત=પ્રરૂપાયેલું, એવું આ “ગણધર પદ ઉત્તમ છે. ગણધર પદ ઉત્તમ કેમ છે? તેથી કહે છે – ઉત્તમ ફળનું સંજનક છે=મોક્ષનું જનક છે, લોકમાં ઉત્તમ જનોથી સેવિત છે; કેમ કે ગણધરોનું ઉત્તમપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ “ગણધર' પદ લોકોત્તમ એવા ભગવાને પ્રરૂપેલું છે, માટે ઉત્તમ છે. વળી સમ્યગુ પાલન કરાયેલું આ ગણધરપદ મોક્ષરૂપ ઉત્તમ ફળને પેદા કરનારું છે, માટે ઉત્તમ છે. અહીં વિશેષ એ છે કે તીર્થકરો સમવસરણમાં પ્રતિબોધ પામેલા જીવોને પ્રથમ દીક્ષા આપે છે, ત્યારપછી ૩ષ્પ વા ઈત્યાદિ ત્રિપદી આપે છે, તે ત્રિપદી દ્વારા તે મહાપ્રજ્ઞાવાળા સાધુઓ અંતમૂહુર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે, ત્યારપછી તીર્થંકર તેઓને અનુયોગની અનુજ્ઞા આપે છે, અને પછી તરત ગણની અનુજ્ઞા આપીને તે સાધુઓને ગણધરપદ પર સ્થાપન કરે છે. આથી પરંપરાથી આપણને પ્રાપ્ત થયેલું આ ગણધરપદ લોકોત્તમ એવા ભગવાને પ્રરૂપેલું છે. વળી, ભગવાનના શિષ્ય એવા ગૌતમાદિ ગણધરો લોકમાં ઉત્તમ પુરુષ હતાં, તેથી આ ગણધરપદ લોકમાં ઉત્તમ પુરુષોથી સેવાયેલું છે, માટે ઉત્તમ છે. આથી આવા ઉત્તમ ગણધરપદને સ્વીકારીને આ નવા ગણધર આચાર્યે આ પદની સ્ટેજ પણ ગ્લાનિ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. એ પ્રકારની અનુશાસ્તિ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. /૧૩૪૮ ગાથા : धण्णाण णिवेसिज्जइ धण्णा गच्छंति पारमेअस्स । गंतुं इमस्स पारं पारं वच्चंति दुक्खाणं ॥१३४९॥ અન્વયાર્થ : થઈII foસિMટ્ટ ધન્યોમાં નિવેશાય છે ધન્ય એવા સાધુઓમાં આ ગણધરપદ સ્થપાય છે, થઇUTI મસ પારં મચ્છતિ ધન્યો આના પારને પામે છે ધન્ય એવા સાધુઓ ગણધરપદના પારને પામે છે, રૂમર્સઆના=ગણધરપદના, પારં તું પારને પામીને યુવાપે પાદુઃખોના પારને વર્ષ્યાતિ પામે છે. ગાથાર્થ : ધન્ય એવા સાધુઓમાં આ ગણધરપદ સ્થપાય છે, ધન્ય એવા સાધુઓ ગણધરપદના પારને પામે છે, ગણધરપદના પારને પામીને દુઃખોના પારને પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy