SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૪૯-૧૩૫૦ ટીકા : धन्यानां निवेश्यते एतद्, धन्या गच्छन्ति पारमेतस्य पदस्य, गत्वाऽस्य विधिना पारं, पारं व्रजन्ति दुःखानां सिद्ध्यन्तीति गाथार्थः ॥१३४९॥ ટીકાર્થ : ધન્યોમાં આ નિવેશાય છે=ધન્ય એવા સાધુઓમાં ગણધરપદ સ્થપાય છે. ધન્ય-ધન્ય એવા સાધુઓ, આ પદના=ગણધરપદના, પારને પામે છે, વિધિથી આના=ગણધરપદના, પારને પામીને દુઃખોના પારને પામે છેઃસિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગણધરપદ ઉત્તમ હોવાથી ગમે તેવા સાધુઓમાં ગણધરપદનું સ્થાપન કરાતું નથી, પરંતુ અનેક ગુણોથી યુક્ત એવા ધન્ય સાધુઓમાં જ ગણધરપદનું સ્થાપન કરાય છે. વળી આ ગણધરપદનો પાર ધન્ય પુરુષો પામે છે અર્થાતુ ઉચિત જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે આખા ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવીને ગણધરપદની મર્યાદાને નિષ્ઠા સુધી ધન્ય સાધુઓ વહન કરે છે. વળી જે ધન્ય સાધુઓ ગણધરપદની મર્યાદાના પારને પામે છે, તેઓ સર્વ દુઃખોના પારને પામે છે અર્થાત સંસારનો શીઘ અંત કરીને મોક્ષે જાય છે. આશય એ છે કે ગણધર આચાર્ય પોતાના ગણધરપદના વહનકાળમાં, અત્યંત અપ્રમાદપૂર્વક આખા ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવે છે તેનાથી બંધાયેલા પુણ્યના બળથી, તેમ જ પોતે જે યોગમાર્ગ સેવેલ છે તેનાથી પોતાના આત્મામાં પડેલા સંસ્કારોના બળથી અને ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવવા દ્વારા ગચ્છના સાધુઓને જે ઉચિત પ્રવૃત્તિ કરાવેલ તેનાથી પોતાના આત્મામાં પડેલા સંસ્કારોના બળથી; જેમ ગૌતમાદિ ગણધરો ગણધરપદનું સમ્યગું વહન કરીને સર્વ દુઃખોનો અંત કરીને સિદ્ધ થયા, તેમ તે મહાત્મા પણ ગણધરપદનું સમ્યગું વહન કરીને સર્વ દુઃખોનો અંત કરીને સિદ્ધ થાય છે. વળી ગૌતમાદિ ગણધરો ગણધરપદનું સમ્યગુ વહન કરીને આ ભવમાં જ સિદ્ધ થયા, તે રીતે સુધર્માસ્વામી ગણધરની પાટે આવેલા કેટલાક સાધુઓ પણ ગણધરપદને નિષ્ઠાપૂર્વક વહન કરીને તે ભવમાં જ સિદ્ધ થયા; પરંતુ જે સાધુઓ ગણધરપદને નિષ્ઠાપૂર્વક વહન કરવા છતાં આ ભવમાં સિદ્ધ થયા નહીં. તેઓ પણ ઉત્તમ એવા ગણધરપદના સમ્યગૂ સેવનરૂપ પ્રબળ કારણથી થોડા ભવોમાં અવશ્ય સિદ્ધ થાય છે. આ પ્રકારની હિતશિક્ષા મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ૧૩૪૯. ગાથા : संपाविऊण परमे णाणाई दुहिअतायणसमत्थे । भवभयभीआण दढं ताणं जो कुणइ सो धण्णो ॥१३५०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy