SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ *ગાથાના ચોથા પાદમાં રહેલ ‘૩૪' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અને ત્યારપછી શિષ્ય વગેરે તે નવા ગણધર આચાર્યને વંદન કરે છે, ત્યારપછી ગુરુ પણ ગચ્છ અને ગણધર એ બંનેને પણ અનુશાસ્તિ તે રીતે આપે છે, જે રીતે અન્ય પણ કોઈક જીવ પ્રતિબોધ પામે. ટીકા ददति च ततो वन्दनं शिष्यादयः सर्व एव ततो गुरुरप्यनुशास्ति मौलः द्वयोरपि गच्छ्गणधरयोः करोति तथा संवेगसारं यथाऽन्योऽपि च सत्त्वो बुध्यते कश्चिदिति गाथार्थः ॥ १३४७॥ ટીકાર્ય : અને ત્યારપછી શિષ્યાદિ સર્વે જ વંદનને આપે છે=નવા ગણધર આચાર્યને વંદન કરે છે, ત્યારપછી મૂલ ગુરુ પણ ગચ્છ અને ગણધર બંનેની પણ અનુશાસ્તિને તે રીતે સંવેગસાર કરે છે, જે રીતે અન્ય પણ કોઈક સત્ત્વ બોધ પામે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૧૩૪૭ના અવતરણિકા गणधरानुशास्तिमाह અવતરણિકાર્થઃ ગણધરની અનુશાસ્તિને કહે છે અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર / ગાથા ૧૩૪૦-૧૩૪૮ - ગાથા: --- ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ત્યારપછી મૂલ ગુરુ ગચ્છ અને ગણધર બંનેને પણ અનુશાસ્તિ આપે છે. તેથી હવે પ્રથમ ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ ગ્રંથકાર ગાથા ૧૩૫૪ સુધી બતાવે છે Jain Education International उत्तममिअं पयं जिणवरेहिं लोगुत्तमेहिं पण्णत्तं । उत्तमफलसंजणयं उत्तमजणसेविअं लोए ॥१३४८ ॥ અન્વયાર્થ: તોગુત્તમેËિ ખિળવહિં પળત્ત-લોકોત્તમ એવા જિનવર વડે પ્રજ્ઞપ્ત એવું ફર્યાં પયં=આ પદ=‘ગણધર’ પદ, ઉત્તમં=ઉત્તમ છે. (ગણધ૨૫દ ઉત્તમ કેમ છે ? તેથી કહે છે —) ઉત્તમનસંનયં=ઉત્તમ ફળનું સંજનક છે, ભોળુ ઉત્તમનળસેવિયં-લોકમાં ઉત્તમ જનોથી સેવિત છે. ગાથાર્થઃ લોકોત્તમ એવા જિનવર વડે પ્રરૂપાયેલું એવું આ ‘ગણધર’ પદ ઉત્તમ છે, ઉત્તમ ફળને પેદા કરનારું છે, લોકમાં ઉત્તમ જનોથી સેવાયેલું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy