SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૩-૧૩૩૪ ગાથાર્થ : સાવી પણ જે શેષ સાધ્વીઓથી ગુણસમુદાય દ્વારા અધિક હોય, અને દીક્ષા-ભૃતાદિથી પરિણત હોય, તે સાધ્વી સવલબ્ધિને યોગ્ય છે. ટીકાઃ व्रतवत्यपि गुणगणेन या अधिका भवति शेषव्रतवतीभ्यः साध्वीभ्य इत्यर्थः, दीक्षाश्रुतादिना परिणता च, योग्या स्वलब्धेः एवंभूतेति गाथार्थः ॥१३३३॥ * શ્રતાવના'માં “માર' પદથી વયનું ગ્રહણ છે. ટીકાર્ય : વ્રતવતી પણ=સાધ્વી પણ, જે શેષ વ્રતવતીઓથી=સાધ્વીઓથી, ગુણના ગણ દ્વારા=ગુણના સમુદાય દ્વારા, અધિક હોય, અને દીક્ષા-શ્રુત આદિથી પરિણત હોય, આવા પ્રકારવાળી સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે સાધ્વી સંયમવૃદ્ધિને અનુકૂળ ગુણોના સમુદાય દ્વારા બીજાં સાધ્વીઓ કરતાં અધિક ગુણોવાળી હોય, સંયમજીવનના દીર્ઘ પર્યાયવાળી હોવાથી પર્યાવૃદ્ધ હોય, સંયમ ગ્રહણ કરીને ઘણું શ્રાધ્યયન કર્યું હોવાથી જ્ઞાનવૃદ્ધ હોય, તેમ જ ઉંમરથી પણ મોટી હોવાથી વયોવૃદ્ધ હોય : આવા પ્રકારના ગુણોવાળાં સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે. અહીં સાધ્વીને “શેષ સાધ્વીઓથી અધિક ગુણગણવાળી” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી શેષ સાધ્વીઓને યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોય છે. વળી, સાધ્વીને “દીક્ષા-શ્રુતાદિથી પરિણત” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી પિષણાદિના દોષો જાણનાર હોવાથી, ભિક્ષા આદિમાં શુદ્ધ-અશુદ્ધતાનો વિચાર કરી શકે તેવા સમર્થ હોય છે. ./૧૩૩૩ ગાથા : केइ ण होइ सलद्धी वइणीणं गुरुपरिक्खियं तासि । जं सव्वमेव पायं लहुसगदोसा य णिअमेणं ॥१३३४॥ અન્વયાર્થ : કેટલાક કહે છે :) વફvi સત્ની હોડું વ્રતિનીઓને સ્વલિબ્ધિ હોતી નથી; ગંજે કારણથી તાહિં તેઓને વ્રતિનીઓને, પાયં પ્રાયઃ સવ્વમેવંસર્વ જ ગુરુપવિશ્વયં-ગુરુપરીક્ષિત હોય છે, મેપ ચ અને (તેઓને) નિયમથી તદુસવોનાલઘુતાથી દોષો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy