SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૩૨-૧૩૩૩ ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને કાંઈ આભાવ્ય થતું નથી. તેથી સાધુઓ કોઈક રીતે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા થયા હોય તો તેઓએ શું કરવું જોઈએ જેથી તે ક્ષેત્રનું આભાવ્ય થઈ શકે ? તે બતાવતાં કહે છે ક્યારેક સમાપ્તકલ્પવાળા સાધુઓ પણ કોઈ ગીતાર્થ સાધુથી યુક્ત ન હોવાથી અજાતકલ્પવાળા હોય અથવા તો ગીતાર્થ સાધુથી યુક્ત હોવાથી જાતકલ્પવાળા સાધુઓ પણ ક્યારેક અસમાપ્તકલ્પવાળા હોય ત્યારે, જો તે અજાતકલ્પવાળા સાધુઓ અને અસમાપ્તકલ્પવાળા સાધુઓ વિજાતીય કુલાદિના હોવા છતાં પરસ્પર ભેગા મળીને જાત-સમાપ્તકલ્પવાળા બને, તો તે ક્ષેત્રમાં રહેલ આહાર-પાણી, વસ્ત્રાદિ વસ્તુઓ સામાન્યથી ગ્રહણ કરવાના તેઓ અધિકારી બને છે, જેથી તે આભાવ્ય તેઓનું થઈ શકે, અન્યથા નહીં. અહીં પ્રશ્ન થાય કે આ રીતે બંને વિજાતીય કુલાદિવાળા સાધુઓએ પરસ્પર ભેગા થઈને જાત-સમાપ્તકલ્પ કર્યો હોય, ત્યારે તેઓને જે વસ્ત્ર-પાત્ર કે ભિક્ષાદિરૂપ આભાવ્ય પ્રાપ્ત થાય તે, બેમાંથી કયા કુલાદિવાળા સાધુઓ ગ્રહણ કરે ? તેથી ખુલાસો કરતાં ગ્રંથકાર કહે છે - અવતરણિકા : સમાપ્તકલ્પ કરતી વખતે તે બંને વિજાતીય કુલાદિના સાધુઓએ આભાવ્ય ગ્રહણ કરવા વિષયક જે પ્રકારનો સંકેત કર્યો હોય, તે પ્રકારે તે પ્રાપ્ત થયેલ આભાવ્ય તે ગીતાર્થયુક્ત સાધુઓના કુલાદિવાળા સાધુઓ તે અને ગીતાર્થરહિત સાધુઓના કુલાદિવાળા સાધુઓ ગ્રહણ કરે. ૫૧૩૩૨॥ साध्वीमधिकृत्य स्वलब्धियोग्यतामाह અવતરણિકાર્ય : સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિની યોગ્યતાને કહે છે - ગાથા: ― - Jain Education International ૩૦૧ ભાવાર્થ: ગાથા ૧૩૨૭માં જે રીતે સ્વલબ્ધિયોગ્ય સાધુનું સ્વરૂપ બતાવ્યું. તે રીતે કેટલીક સાધ્વીઓ પણ પ્રવર્તિની પદને યોગ્ય ગુણોવાળી હોતી નથી, છતાં શાસ્ત્રો ભણીને ગીતાર્થ બનેલી હોવાથી પરિમિત સાધ્વીઓ સાથે શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરી શકે તેવા સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળી હોય છે. તેથી હવે પ્રસંગથી સ્વલબ્ધિની યોગ્યતાવાળી સાધ્વીનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર કહે છે aणी व गुणगणेणं जा अहिआ होइ सेसवइणीणं । दिक्खासुआइणा परिणया य जोग्गा सलद्धीए ॥१३३३॥ અન્વયાર્થ: વફળી વિવ્રતિની પણ=સાધ્વી પણ, ના=જે સેસવફળીનું મુળગોળ હિમ-શેષ વ્રતિનીઓથી ગુણગણ દ્વારા અધિક દ્દો-હોય, વિવસ્વાનુઞફળા યઅને દીક્ષા-શ્રુતાદિથી પળિયા-પરિણત હોય, (તે વ્રતિની) સત્તદ્વીક્ નોĪ=સ્વલબ્ધિને યોગ્ય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy