SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૮-૧૧૧૯ ૧૩ તો શુદ્ધ છે; કેમ કે દેવતાના ઉપવન કે ભવનમાંથી કાષ્ઠાદિ લાવવામાં દેવતાને પ્રષ થવાનો સંભવ હોવાથી જિનમંદિરને કે જિનમંદિર બનાવનારા માણસોને વ્યાઘાત થવાનો સંભવ છે. ll૧૧૧૮. અવતરણિકા : કાષ્ઠાદિરૂપ જિનભવનનું ઉપાદાનદ્રવ્ય શુદ્ધ છે કે અશુદ્ધ ? તે જાણવાનો ઉપાય બતાવે છે – ગાથા : तस्स वि अ इमो नेओ सुद्धासुद्धपरिजाणणोवाओ । तकहगहणादो जो सउणेअरसन्निवाओ उ ॥१११९॥ અવયાર્થ : - તક્ષ વિ અને તેના પણ=કાષ્ઠાદિ દલના પણ, સુદ્ધાસુદ્ધપરિઝાપોવા=શુદ્ધ અને અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય રૂપ નેગો આ જાણવો. તાણાવો તેની કથા-ગ્રહણાદિમાં=ભૂમિ અને કાષ્ઠાદિ દલની કથા-ગ્રહણ વગેરેમાં, નોકજે સોમરસન્નિવાઝો =શકુન-ઇતરનો સન્નિપાત જ થાય, (તે ઉપાય ગાથાર્થ : અને કાષ્ઠાદિ દલને પણ શુદ્ધ-અશુદ્ધ જાણવાનો ઉપાય આ છે – ભૂમિની અને કાષ્ઠાદિ દલની કથા-ગ્રહણ વગેરેમાં જે શુકન કે અપશુકનનો સન્નિપાત જ થાય. ટીકાઃ तस्याऽपि चाऽयं वक्ष्यमाणो ज्ञेयः शुद्धाशुद्धपरिज्ञानोपायः काष्ठादेः, कः ? इत्याह-तत्कथाग्रहणादौ प्रस्तुते यः शकुनेतरसन्निपात एव, तत्र नान्दीशब्दादयः शकुनाः, इतरे अशकुना इति गाथार्थः ॥१११९॥ * “તરૂ વિ'માં “મણિ'થી એ દર્શાવવું છે કે ભૂમિના શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય તો આ જાણવો, પરંતુ તેના પણ=કાષ્ઠાદિ દલના પણ, શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ જાણવો. * ગાથાના અંતે રહેલ ‘કુ' પત્રકાર અર્થક છે. * “ તથા પ્રદUTલી''માં ‘ત'નો સમાસ દ્વિવચનમાં ખોલવાનો છે. તેથી તે બેની=કાષ્ઠાદિ દલ અને ભૂમિની કથાગ્રહણાદિ એમ સમજવું, અને પંચાશક ગ્રંથમાં મારિ' પદથી તેના આનયનાદિનો સંગ્રહ કરેલ છે. ટીકાર્થ: અને તે કાષ્ઠાદિના પણ શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ=કહેવાનાર, જાણવો. કહેવાનાર ઉપાય કયો છે? એથી કહે છે – તેની કથા-ગ્રહણાદિ પ્રસ્તુત હોતે છતે=દલ અને ભૂમિને ગ્રહણ કરવા માટેનો વિચાર અને ત્યારપછી તે બેને ખરીદવા વગેરે પ્રસ્તુત હોતે છતે, જે શકુન-ઇતરનો સંનિપાત જ થાય=શુકન કે અપશુકનનું નિમિત્ત જ પ્રાપ્ત થાય, તે દલ અને ભૂમિના શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય છે, એમ અન્વય છે. ત્યાં શુકન-અપશુકનમાં, નાંદી શબ્દ આદિ શુકનો છે, ઈતર અશુકન છે=નાંદી શબ્દ આદિ સિવાય અન્ય શબ્દો અપશુકન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy