SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૦-૧૩૨૮ ધૃતિવાળા હોય, જેથી સંયમમાં બાધ ન થાય તેવી પ્રવૃત્તિ કરનારા હોય; (૪) વળી પિંડએષણા, વસ્ત્રએષણા, વસતિએષણાદિના જાણનારા હોય, જેના કારણે તેઓ આ ભિક્ષા અને વસ્ત્રાદિ ઉપકરણ દોષિત છે કે નિર્દોષ? તેનો નિર્ણય કરવા સમર્થ હોય; (૫) વળી બૃહકલ્પપીઠની નિયુક્તિને જાણનારા હોય, જેથી વસ્ત્રાદિ ગ્રહણ કરતી વખતે ઉત્સર્ગ-અપવાદને ઉચિત સ્થાને યોજી શકતા હોય; (૬) વળી સામાન્યથી અનુવર્તક હોય, જેથી સર્વ સાધુઓની વિશેષ પ્રકારે અનુવર્તન કરવાનું ગણધર જેવું સામર્થ્ય ન હોય, તોપણ પોતાની સાથે રહેલા સાધુઓને તે તે પ્રકારે સામાન્ય રીતે અનુવર્તન કરવા દ્વારા હિતમાં જોડવાનું જેઓનું સામર્થ્ય હોય. આવા પ્રકારના ગુણોવાળા સાધુ સ્વલબ્ધિને યોગ્ય કહેવાય, અર્થાત્ આવા ગુણોવાળા સાધુને પૂર્વે ગુરુની પરીક્ષાથી નિર્ણિત થયેલા નિર્દોષ વસ્ત્રાદિની, પોતાને પ્રાપ્તિ થતી હતી, હવે વસ્ત્રાદિની પરીક્ષા કરવા માટે યોગ્ય થયેલા હોવાથી, તેઓ સ્વયં શ્રુતાનુસાર પરીક્ષાથી નિર્ણય કરીને નિર્દોષ વસ્ત્રાદિની પ્રાપ્તિ કરી શકે છે. ૧૩૨૭ અવતરણિકા : अस्यैव विहारविधिमाह - અવતરણિકાર્ય : આની જ વિહારવિધિને કહે છે–પૂર્વગાથામાં સ્વલબ્ધિવાળા સાધુનું સ્વરૂપ બતાવ્યું, એ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુની જ વિહારની વિધિને કહે છે – ગાથા : एसो वि समं गुरुणा पुढो व गुरुदिन्नजोग्गपरिवारो । विहरइ तयभावम्मि वि विहिणा उ समत्तकप्पेणं ॥१३२८॥ અન્વયાર્થ: પણો વિઆ પણ સ્વલબ્ધિવાળા સાધુ પણ, ગુરુ, સમં ગુરુ સાથે ગુરુવન્નનો પરિવારો વધુઢો અથવા ગુરુદત્ત યોગ્ય પરિવારવાળા પૃથ વિદર-વિહરે છે. તયમાવષિ વિ=તેના અભાવમાં પણ=ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં પણ, વિદિ કવિધિથી જ સમવન્વેvi સમાપ્તકલ્પ વડે (વિહરે છે.) ગાથાર્થ : રવલધિવાળા સાધુ પણ ગુરુ સાથે અથવા ગુરુએ આપેલ યોગ્ય પરિવારવાળા પૃથ વિહરે છે. ગુરુએ આપેલ ચોગ્ય પરિવારના અભાવમાં વિધિથી જ સમાપ્તકર્ભ વડે વિહરે છે. ટીકા? एषोऽपि स्वलब्धिमान् समं गुरुणा पृथग् वा गुरोः गुरुदत्तयोग्यपरिवारः सन् विहरति, तदभावेऽपि गुरुदत्तपरिवाराभावेऽपि विधिनैव समाप्तकल्पेन विहरतीति गाथार्थः ॥१३२८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy