SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૪-૧૩૨૫ ભાવાર્થ : ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું, એ રીતે ગુરુ કાલોચિત ગુણોથી રહિત આચાર્યમાં ગણધરપદ સ્થાપન કરે કે કાલોચિત ગુણોથી રહિત સાધ્વીમાં પ્રવર્તિનીપદ સ્થાપન કરે, અથવા તો કાલોચિત ગુણોથી રહિત આચાર્ય કોઈક પ્રકારના આગ્રહથી ગુરુ પાસે પોતાનામાં ગણધરપદ સ્થાપન કરાવે કે કાલોચિત ગુણોથી રહિત સાધ્વી કોઈક પ્રકારના આગ્રહથી ગુરુ પાસે પોતાનામાં પ્રવર્તિનીપદ સ્થાપન કરાવે, તો યોગ્યતા વગર તેઓમાં પદવીના સ્થાપનને કારણે તેઓ દ્વારા લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. લોકમાં કેવા પ્રકારનો ઉપઘાત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – કાલોચિત ગુણો વગરના અયોગ્યને ગણધરાદિ પદ પર સ્થાપન કરતાં જોઈને કોઈ વિચારક પુરુષને થાય કે “જે જિનશાસનમાં ગુરુ ઉચિત-અનુચિતનો વિચાર કરવામાં અનાભોગવાળા હોય, ત્યાં તેમના શિષ્યો વિશિષ્ટતર અનાભોગવાળા થશે, માટે આ જિનશાસન સુંદર વ્યવસ્થાવાળું નથી.” આવી બુદ્ધિ થવાથી જિનશાસન પ્રત્યે વિશેષ બહુમાન થઈ શકે તેવા પુરુષને પણ જિનશાસન પ્રત્યે વિમુખભાવ થાય છે, આથી અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. વળી, અયોગ્ય જીવને ગણધરાદિ પદનું પ્રદાન કરતાં જોઈને કેટલાક જીવોને ગણધરાદિ પદ સંબંધી ગુણોમાં અનાદરભાવ થાય છે; કેમ કે તેઓની પ્રવૃત્તિ ગણધરાદિ પદને અનુરૂપ નહીં હોવાને કારણે લોકોને થાય કે “જિનશાસનમાં ગણધરપદને ધારણ કરનારા આચાર્ય અને પ્રવર્તિનીપદને ધારણ કરનારા સાધ્વી આવી અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય છે,” એમ વિચારીને ગણધરાદિ પદની કેટલાકના ચિત્તમાં અવમૂલ્યતા ભાસે છે. વસ્તુતઃ કાલોચિત ગુણોવાળાને ગણધરાદિ પદ પર સ્થાપ્યા હોત તો તેઓની તે તે પદને અનુરૂપ પ્રવૃત્તિ જોઈને, કેટલાક જીવોને જિનશાસન પ્રત્યે વિશેષ બહુમાન થાત, તો કેટલાક જીવોમાં ગુણનો પક્ષપાત થવાને કારણે બીજાધાન થાત; પરંતુ કાલોચિત ગુણો વગરનાને ગણધરાદિ પદ પર સ્થાપ્યા હોવાથી તેઓની અનુચિત પ્રવૃત્તિ જોઈને, તે જીવોને તે તે પદ પ્રત્યે જે અનાદરભાવ થાય છે અને તેઓ પાપબંધ કરે છે, તેમાં નિમિત્તકારણ અયોગ્યને પદવીનું પ્રદાન બને છે. આથી અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. (૧૩૨૪ અવતરણિકા : स्वपरपरित्याग एवमित्येतदाह - અવતરણિકાર્ય : આ રીતે=ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં કહ્યું એ રીતે, સ્વ અને પરનો પરિત્યાગ થાય છે, એ પ્રકારના આને=કથનને, કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું એ પ્રમાણે જે ગુરુ અયોગ્ય આચાર્યને ગણધરપદ કે અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ આપે છે, તે ગુરુ પોતાના આત્માનો અને પદવી લેનારા આચાર્ય અને સાધ્વીરૂપ પરનો પરિત્યાગ કરે છે. એ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy