SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૪ ૨૮૯ ભાવાર્થ : ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં બતાવ્યું કે ગણધરપદને યોગ્ય ગુણોથી રહિત આચાર્યને ગણધરપદ આપવાથી અને પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોથી રહિત સાધ્વીને પ્રવર્તિનીપદ આપવાથી, પદવી આપનાર અને લેનાર બંનેને આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત થાય છે, તેમ જ બંને મહાપાપી છે. - હવે અયોગ્યને તે તે પદવી આપવાથી શું અનર્થો થાય છે? તે બે ગાથામાં બતાવતાં ગ્રંથકારશ્રી કહે ગાથા : लोगम्मि अ उवघाओ जत्थ गुरू एरिसा तहिं सीसा । लट्ठयरा अण्णेसिं अणायरो होइ अ गुणेसु ॥१३२४॥ અન્વયા : નોમિમ૩વધાઓ અને લોકમાં ઉપઘાત થાય છે. (તે ઉપઘાત જ સ્પષ્ટ કરે છે–) કલ્યગુરૂ રિલજ્યાં ગુરુ આવા હોય=ગણધરાદિ પદ આપતી વખતે જીવની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરવામાં અનાભોગવાળા હોય, હિંસી નgય ત્યાં શિષ્યો લખતર હોય–ગુરુ કરતાં વિશેષ પ્રકારે અનાભોગવાળા હોય. અહિં મ=અને અન્યોને ગુણસુ-ગુણોમાં મUITયરો અનાદર હોડું થાય છે. ગાથાર્થ : અને લોકમાં ઉપઘાત થાય છે, તે ઉપઘાત જ રપષ્ટ કરે છે - જ્યાં ગુરુ અનાભોગવાળા હોય, ત્યાં શિષ્યો ગુરુ કરતાં વિશેષ પ્રકારે અનાભોગવાળા હોય. અને અન્ય જીવોને ગુણોમાં અનાદર થાય છે. ટીકા : लोके चोपघातो भवत्येतत्स्थापने, यत्र गुरव ईदृशा=अनाभोगवन्तः, तत्र शिष्याः लष्टतरा: शोभनतरा इत्यतिशयवचनम्, एवं च क्रियमाणेऽन्येषां प्राणिनामनादरो भवति च गुणेषु गणधरादिसम्बन्धिषु, तदभावेऽपि तत्पदसिद्धेरिति गाथार्थः ॥१३२४॥ ટીકાર્થ: અને આના સ્થાપનમાં=અયોગ્ય જીવને ગણધરાદિ પદ પર સ્થાપન કરવામાં, લોકમાં ઉપઘાત થાય છે. કેવા પ્રકારનો ઉપધાત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – જ્યાં ગુરુ આવા પ્રકારના હોય=અનાભોગવાળા હોય=ગણધરાદિ પદ પર સ્થાપન કરતી વખતે જીવની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર નહીં કરનારા હોય, ત્યાં શિષ્યો લખતર હોય=શોભનતર હોય, એ પ્રકારે અતિશય વચન છે અર્થાત્ શિષ્યો ગુરુ કરતાં વિશેષ પ્રકારના અનાભોગવાળા હોય; અને આ રીતે કરાતે છતે શિષ્યોની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કર્યા વગર તેઓમાં ગણધરાદિ પદ સ્થાપન કરાતે છતે, અન્ય પ્રાણીઓને ગણધરાદિના સંબંધવાળા ગુણોમાં અનાદર થાય છે, કેમ કે તેના અભાવમાં પણ તે પદની સિદ્ધિ છે ગણધરાદિના સંબંધવાળા ગુણોના અભાવમાં પણ ગણધરાદિ પદની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy