SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૨-૧૩૨૩, ૧૩૨૪ ગાથાર્થ : અને કાલોચિત ગુણોથી રહિત એવી જે સાધ્વી, ગુરુ પાસે પ્રવર્તિની શબ્દને પોતાનામાં સ્થપાવે છે, અને ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ પ્રવર્તિની શબ્દનું વિશુદ્ધ ભાવવાળી જે સાધ્વી રવશક્તિથી સભ્ય અનુપાલન કરતી નથી, તે પણ મહાપાપી છે. ટીકા? कालोचितगुणरहिता सती या च स्थापयति प्रवर्तिनीशब्दं, तथा निविष्टमपि सन्तं नाऽनुपालयति सम्यगेनमेव विशुद्धभावा सती स्वशक्त्या, साऽपि महापापेति गाथार्थः ॥१३२३॥ ટીકાર્ય : અને કાલોચિત ગુણોથી રહિત છતી કે, પ્રવર્તિની શબ્દને સ્થપાવે છે=જે સાધ્વી ગુરુ પાસેથી પોતાનામાં પ્રવર્તિની પદવીને સ્થપાવે છે, અને નિવિષ્ટ પણ છતા આને જ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ છતા પ્રવર્તિની શબ્દને જ, વિશુદ્ધ ભાવવાળી છતી સ્વશક્તિથી સમ્યગુ અનુપાલન કરતી નથી, તે પણ મહાપાપવાળી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: . જે પ્રમાણે ગૌતમાદિ મહાત્માઓએ “ગણધર” શબ્દ વહન કર્યો છે, તે પ્રમાણે ચંદનાદિ મહાગુણિયલ આર્યાઓએ “પ્રવર્તિની” શબ્દ વહન કર્યો છે. તેવા પ્રવર્તિની શબ્દને આપવા માટે યોગ્ય ગુણો આ સાધ્વીમાં નથી એવું જાણવા છતાં જે ગુરુ, પ્રવર્તિની પદવી આપવા માટે અપાત્ર સાધ્વીમાં પ્રવર્તિનીપદનું સ્થાપન કરે છે, તે ગુરુ મહાપાપી છે અર્થાત્ પ્રવર્તિની શબ્દની વિરાધના કરનારા છે. વળી, કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે સાધ્વી, કોઈક રીતે આગ્રહ કરીને ગુરુ પાસેથી પ્રવર્તિનીપદ પોતાનામાં સ્થાપન કરાવે છે, તે સાધ્વી પણ મહાપાપી છે. વળી, સાધ્વીમાં પ્રવર્તિનીપદને યોગ્ય ગુણો જાણીને ગુરુએ તેને પ્રવર્તિનીપદ પર સ્થાપન કરેલ હોય, પરંતુ પાછળથી તે સાધ્વી, “આ પ્રવર્તિનીપદનું આર્યા ચંદના આદિ પ્રવર્તિનીઓએ વહન કર્યું છે, માટે આ પદને વહન કરવા માટે પણ મારી શિષ્યાઓને સમ્યગુ અનુશાસન આપીને, તેઓના યોગમાર્ગની વૃદ્ધિ થાય તે પ્રકારનો યત્ન કરવો જોઈએ” એવા વિશુદ્ધ ભાવવાળી થઈને તે પ્રવર્તિનીપદનું પોતાની શક્તિઅનુસાર સમ્યગુ અનુપાલન કરે નહીં અને તે પદની હલના કરે, તો તે સાધ્વી પણ મહાપાપી છે. l/૧૩૨૨/૧૩૨૩ અવતરણિકા : इहैव दोषमाह - અવતરણિકાર્ય : અહીં જ દોષને કહે છે=અયોગ્ય આચાર્યને ગણધર પદ આપવામાં અને અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ આપવામાં પ્રાપ્ત થતાં દોષને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy