SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૧૨-૧૩૧૩ ટીકાર્યઃ આ રીતે-ગાથા ૧૩૦૮થી ૧૩૧૧માં ગ્રંથકારે બતાવ્યું એ રીતે, આગમની યુક્તિઓથી ધીર=બુદ્ધિમાન, એવા પુરુષોએ તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવાદિના રૂપને સ્વરૂપને, પોતાની બુદ્ધિ વડે સમ્યગુ આલોચન કરીને વિવેચન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે. તેથી દાનાદિ ચાર પ્રકારના ધર્મ સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું આગમની યુક્તિ અનુસાર ગ્રંથકારે યોજન કરી બતાવ્યું, એ રીતે શાસ્ત્ર ભણનારા બુદ્ધિમાન પુરુષોએ સર્વત્ર યોજન કરવું જોઈએ. એ પ્રકારનો અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે – આ રીતે આગમની યુક્તિઓથી બુદ્ધિમાન પુરુષોએ સ્વબુદ્ધિ વડે શાસ્ત્રવચનોનું સમ્યગું આલોચન કરીને, કયા શાસ્ત્રવચનો દ્રવ્યસ્તવમાં અંતર્ભાવ પામે છે? અને કયા શાસ્ત્રવચનો ભાવસ્તવમાં અંતર્ભાવ પામે છે? એ પ્રકારનો વિભાગ સ્વયં કરી લેવો, જેથી ગાથા ૧૩૦૮થી ૧૩૧૧ના કથનથી દાનાદિ ચારેય ધર્મ સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવ કઈ રીતે સંલગ્ન છે, તેનો જેમ બોધ થયો, તેમ શાસ્ત્રના દરેક વચન સાથે દ્રવ્યસ્તવભાવસ્તવ કઈ રીતે સંલગ્ન છે? તેનો વિશદ બોધ થાય. જો ગ્રંથકારે દાનાદિ ચારેય ધર્મો સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું યોજન કરીને બતાવ્યું ન હોત, તો દ્રવ્યસ્તવભાવસ્તવમાં અંતર્ભાવ પામનારા પણ દાનાદિ ચારેય ધર્મો જુદા પ્રકારના છે તેવો ભ્રમ થાત, જેના કારણે દ્રવ્યસ્તવભાવસ્તવનો જ યથાર્થ બોધ થઈ શક્ત નહીં; જ્યારે દાનાદિ ચારેય ધર્મોનું દ્રવ્યસ્તવ-ભાવસ્તવ સાથે યોજન કરીને બતાવવાથી દાનાદિ ચારેય ધર્મો દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં જ અંતર્ભાવ પામે છે, એ પ્રકારનો દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો જ વિશદ બોધ થાય છે. આમ, સૂત્રમાં કહેવાયેલા સર્વ વચનોનું તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ સાથે યોજન કરવાથી દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો જ વિશદ બોધ થાય છે, પરંતુ તે વિશદ બોધ કરાવવો અહીં અપ્રસ્તુત હોવાથી ગ્રંથકારે અતિદેશ કરવા દ્વારા તે પ્રકારની દિશાનું સૂચન કરેલ છે. /૧૩૧૨/ અવતરણિકા : ૩પસંદન્નાદ – અવતરણિતાર્થ : ગાથા ૧૧૧૧થી માંડીને ગાથા ૧૩૧૨ સુધી ગ્રંથકારે જે સ્તવપરિજ્ઞા કહી, તેનો હવે ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે - . ગાથા : एसेह थयपरिण्णा समासओ वण्णिआ मए तुब्भं । वित्थरओ भावत्थो इमीएँ सुत्ताओ णायव्वो ॥१३१३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy