SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૫ થી ૧૧૧૭, ૧૧૧૮ દુર્લભબોધિપણું પ્રાપ્ત થાય તેવું કર્મ બંધાય છે. માટે પરલોકના હિતના અર્થી જીવે શક્તિ અનુસાર અન્ય જીવની અપ્રીતિ દૂર કરવા માટે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. તેમાં દષ્ટાંત આપે છે - - ૧૦ જે રીતે મહાવીરસ્વામી ભગવાને તાપસોને થતી અપ્રીતિના પરિહાર અર્થે ચોમાસામાં પણ તાપસાશ્રમથી વિહાર કર્યો. ભગવાને ત્યાંથી વિહાર કર્યો ન હોત તો ભગવાનના ઉચિત આચારો પ્રત્યે તાપસોને દ્વેષ થાત, જે દ્વેષ ગુણના દ્વેષરૂપ હોવાથી તાપસોને બોધિદુર્લભતાનું કારણ બનત, જ્યારે ભગવાને ત્યાંથી વિહાર કર્યો તેથી તાપસોની અપ્રીતિનો પરિહાર થયો અને તાપસો બોધિદુર્લભ ન થયા. એ રીતે જિનમંદિરનિર્માણ માટે શુદ્ધ ભૂમિ ગ્રહણ કરતી વખતે આજુબાજુમાં રહેલા લોકોને થતી અપ્રીતિના પરિહાર અર્થે શક્ય સર્વ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ, અને શક્ય સર્વ ઉપાયોમાં યત્ન કરવા છતાં અતિ અયોગ્ય કોઈ જીવને અપ્રીતિ થતી હોય તો તેવા જીવ પ્રત્યે પોતાને દ્વેષ ન થાય તદર્થે વિચારવું જોઈએ કે, “મારો જ આ દોષ છે કે જે મેં પૂર્વભવમાં તેવું પુણ્ય ઉપાર્જન કરેલું નથી, જેથી અન્ય જીવને થતી અપ્રીતિનો હું પરિહાર કરી શકતો નથી.’' એમ માનીને અપ્રીતિનો પરિહાર શક્ય ન હોય તો ધર્મકાર્ય અટકાવવું નહિ. * પ્રસ્તુત ટીકાના અંતે સ્વતત્ત્વની ચિંતા બતાવવા “મેવાડ્યું રોષ:' કહ્યું, તે ગાથા પંચાશક ગ્રંથમાં સાતમા પંચાશકની સોળમી ગાથાની ટીકાના અંતે ગ્રંથકારે આ પ્રમાણે બતાવેલ છે : ‘મેવાડ્યું રોષો યવપરમને નાનિતમો !, તેનો અર્થ આ પ્રમાણે છે : મારો જ આ દોષ છે, જે કારણથી અહો ! અપરભવમાં=પૂર્વભવમાં, (મારા વડે) શુભ=પુણ્ય, અર્જુન કરાયું નથી; જેથી લોક મારા ઉપર કુપ્રીતિહૃદયવાળો થાય છે. અપરથા=મારા વડે પૂર્વભવમાં પુણ્ય અર્જન કરાયું હોત, તો આ જન=આ લોક, સ્વના અર્થ પ્રતિ વિમુખતાને પ્રામીને=મારા ઉપર દ્વેષ કરવાથી કર્મબંધ કરવા દ્વારા પોતાના હિત પ્રત્યે વિમુખ બનીને, અપાપવાળા મારા ઉપર=મારા વડે પૂર્વે પુણ્ય અર્જન કરાયું હોત તો હું પાપ વગરનો હોત તેથી પાપ વગરના એવા મારા ઉપર, આ રીતે એકદમ મત્સરને કેમ પામે ? /૧૧૧૫/૧૧૧૬/૧૧૧૭। અવતરણિકા : शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहृदयः । अपापस्यैवं मे कथमपरथा मत्सरमयं, जनो याति स्वार्थं प्रति विमुखतामेत्य सहसा ॥” उक्ता भूमिशुद्धिः काष्ठादिशुद्धिमाह અવતરણિકાર્ય ૧૧૧૩ રૂપ દ્વારગાથામાંથી ભૂમિની શુદ્ધિ કહેવાઈ, હવે કાષ્ઠાદિની શુદ્ધિને કહે છે Jain Education International For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy