SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૦૭-૧૩૦૮ અને એ સર્વ કૃત્યો કરવા દ્વારા તેઓ જ્યારે જગતના સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહ થઈ શકે તેવા સંચિત વીર્યવાળા બને છે, ત્યારે તેઓ ભાવસ્તવના અધિકારી બને છે, ત્યા૨પછી બાહ્ય સર્વ આરંભ-સમારંભનો ત્યાગ કરીને તેઓ સંયમ ગ્રહણ કરે છે અને સંયમજીવનમાં શાસ્ત્રો ભણીને જ્ઞાનાદિ ભાવો સ્થિર કરવા માટે યત્ન કરે, તો તેઓના આત્મામાં જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. અને જે સાધુ સંયમ ગ્રહણ કરીને આ રીતે જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરે છે, તે સાધુની સંયમ ગ્રહણ કરવાને કારણે જે દ્રવ્યસ્તવની હાનિ થઈ તે, ભાવસ્તવરૂપ પોતાનું કાર્ય કરીને ચરિતાર્થ થયેલ હોવાથી દોષ માટે થતી નથી. II૧૩૦૭ll અવતરણિકા : इहैव तन्त्रयुक्तिमाह અવતરણિકાર્ય અહીં જ તંત્રની યુક્તિને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આરંભના ત્યાગથી જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તો દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી, એમાં જ ગાથા ૧૩૧૧ સુધી શાસ્ત્રની યુક્તિને કહે છે - ભાવાર્થ: શ્રાવક શક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવને સેવીને સર્વ આરંભનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે અને રત્નત્રયીમાં ઉદ્યમ કરે, તે વખતે તે સાધુ પૂર્વે ગૃહસ્થપણામાં જે દ્રવ્યસ્તવ કરતા હતા તેની હાનિ થાય છે, તોપણ પરિશુદ્ધ એવી તે દ્રવ્યસ્તવની હાનિએ ભાવસ્તવની પ્રાપ્તિરૂપ પોતાના કાર્યને નિષ્પન્ન કરેલ હોવાથી દોષરૂપ બનતી નથી. હવે તે દ્રવ્યસ્તવની હાનિ દોષરૂપ કેમ બનતી નથી ? તેમાં ગાથા ૧૩૧૧ સુધી શાસ્ત્રમાં કહેવાયેલી યુક્તિ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - ગાથા : ૨૦૦ तो च्चिय णिद्दिट्ठो धम्मम्मि चउव्विहम्मि वि कमोऽयं । इह दाणसीलतवभावणामए अण्णहाऽजोगा || १३०८ ॥ અન્વયાર્થઃ પત્તો વિય-આથી જ=દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ, રૂ.=અહીં=પ્રવચનમાં, વાળસીતતવમાવામણુ ચન્વિમ્પિ વિ ધમ્નિ-દાન-શીલ-તપ-ભાવનામય ચતુર્વિધ પણ ધર્મમાં અર્થ મોઆ= વક્ષ્યમાણ, ક્રમ િિવડ્રો-નિર્દિષ્ટ છે; અળાખ્ખો=કેમ કે અન્યથા અયોગ છે=વક્ષ્યમાણ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અયોગ છે. ગાથાર્થઃ Jain Education International દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ પ્રવચનમાં દાન-શીલ-તપ-ભાવનામય ચારે પ્રકારના પણ ધર્મમાં આગળમાં કહેવાશે એ ક્રમ બતાવાયો છે; કેમ કે આગળમાં કહેવાશે એ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અયોગ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy