SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૦ દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે નથી. એ બતાવવા દ્વારા અર્થથી જે સ્થાનમાં દ્રવ્યસ્તવ ગુરુ હોય અને ભાવાસ્તવ લઘુ હોય, તે સ્થાનમાં ભાવસ્તવ સ્વીકારવાથી થતી દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે છે, એમ બતાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં ક્યારે કોણ ગુરુ છે ? અને કોણ લઘુ છે? તેની મર્યાદા દર્શાવે છે – ગાથા : आरंभच्चाएणं णाणाइगुणेसु वड्डमाणेसु । दव्वट्ठयहाणी वि हु न होइ दोसाय परिसुद्धा ॥१३०७॥ અન્વયાર્થ : મારંમવ્યાણui=આરંભના ત્યાગથી પIBગુરુ વક્માસુ-જ્ઞાનાદિ ગુણો વધતે છતે પરિશુદ્ધ રવ્યgયાળ વિપરિશુદ્ધ એવી દ્રવ્યસ્તવની હાનિ પણ સોસાય ન રોડ્રદોષ માટે થતી નથી. * T' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : આરંભના ત્યાગથી જ્ઞાનાદિ ગુણો વધતે છતે પરિશુદ્ધ એવી દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી. ટીકા : ___आरम्भत्यागेन हेतुना ज्ञानादिगुणेषु वर्द्धमानेषु सत्सु द्रव्यस्तवहानिरपि तत्कर्तुर्न भवति दोषाय परिशुद्धा-सानुबन्धेति गाथार्थः ॥१३०७॥ ટીકાર્ય : આરંભના ત્યાગરૂપ હેતુથી જ્ઞાનાદિ ગુણો વધતે છતે તેના કર્તાની=ભાવસ્તવ કરનારની, પરિશુદ્ધ= સાનુબંધ ફળવાળી, દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરવા અર્થે સ્વશક્તિ અનુસાર દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે, અને જ્યારે સર્વવિરતિની શક્તિનો સંચય થઈ જાય, ત્યારે સર્વ આરંભનો ત્યાગ કરીને સર્વવિરતિ ગ્રહણ કરે છે; તે વખતે તેના સંયમજીવનમાં સર્વ આરંભના ત્યાગને કારણે જ્ઞાનાદિ ગુણો વધતા હોય, તો તે સાધુની જે દ્રવ્યસ્તવની હાનિ થાય છે, તે સાનુબંધ છે અર્થાત્ દ્રવ્યસ્તવનું જે ભાવરૂવરૂપ ફળ છે તે ફળવાળી તે દ્રવ્યસ્તવની હાનિ છે, માટે તે પરિશુદ્ધ છે. અને આવી પરિશુદ્ધ દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે થતી નથી. આથી ફલિત થાય કે તે ભૂમિકાવાળા સાધુ માટે ભાવસ્તવ ગુરુ છે અને દ્રવ્યસ્તવ લઘુ છે, અને લઘુ ઉપાયની હાનિથી ગુરુ ઉપાયનું સેવન ગુણકારી છે. અહીં વિશેષ એ છે કે, ભાવસ્તવના શક્તિસંચય અર્થે દ્રવ્યસ્તવને સેવનારા શ્રાવકો માત્ર ભગવાનની પૂજા જ કરે છે, એમ નહીં, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે સુસાધુઓની ભક્તિ કરે છે, દાનધર્મ સેવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy