SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૬-૧૩૦૦ ૨૫ ગાથાર્થ : સંસારમાં જે બાહ્યના ત્યાગથી ઈત્વર પણ આત્માનો નિગ્રહ કરતો નથી, એ સર્વના ત્યાગથી સદા. કેવી રીતે આત્માનો નિગ્રહ કરે ? ટીકા? ___यो बाह्यत्यागेन, बाह्य-वित्तं, नेत्वरमपि निग्रहं करोति वन्दनादौ इहात्मनः क्षुद्रः, सदाऽसौ यावज्जीवं सर्वत्यागेन-बाह्याभ्यन्तरत्यागेन कथं कुर्याद् आत्मनो निग्रहमिति गाथार्थः ॥१३०६॥ ટીકાઈઃ અહીં=સંસારમાં, જે શુદ્ર જીવ બાહ્યબા ત્યાગથી=ભગવાનની ભક્તિમાં ઉત્તમ સામગ્રીરૂપ ધનના વ્યયથી, વંદનાદિમાં ઈવર પણ=થોડો પણ, આત્માનો નિગ્રહ કરતો નથી, એ જીવ સર્વના ત્યાગથી=બાહ્ય અને અત્યંતરના ત્યાગથી, કેવી રીતે સદા યાવજીવ, આત્માનો નિગ્રહ કરે ? બાહ્ય વિત્ત, અર્થાત્ વીહત્યાન માં વીદ્ય શબ્દ વિત્ત અર્થમાં છે અને વિત્ત એટલે ભગવાનની ભક્તિ અર્થેની ઉત્તમ સામગ્રી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે ક્ષુદ્ર જીવ બાહ્ય ધનનો વ્યયથી ભગવાનની ભક્તિ કરતો હોવા છતાં, ભગવાનને વંદનાદિ પ્રવૃત્તિ કરતી વખતે થોડો પણ આત્માનો નિગ્રહ કરતો નથી અર્થાતુ ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થાય તે પ્રકારના અંતરંગ વીર્યના વ્યાપારને પ્રવર્તાવતો નથી, તેવો જીવ સંયમ ગ્રહણ કરીને બાહ્ય-અત્યંતરના ત્યાગથી સદા આત્માનો નિગ્રહ કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં. આશય એ છે કે ભાવસ્તવમાં ઉદ્યમ કરવો એટલે દેહથી માંડીને સંપૂર્ણ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને અને અંતરંગ રીતે સંસારના સર્વ ભાવો પ્રત્યેના પ્રતિબંધનો ત્યાગ કરીને, આત્માના ગુણોને અતિશયિત કરવા માટેનો ઉદ્યમ કરવો. આવા ભાવસ્તવમાં જેઓ યાવજીવ ઉદ્યમ કરી શકે, તેઓ જ ભાવસ્તવના ફળને પામી શકે છે. વળી અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવ દરમિયાન બાહ્ય ધનના ત્યાગથી પોતાનું ચિત્ત તત્કાળ વીતરાગના ગુણોથી વાસિત થાય તેટલો પણ આત્માનો નિગ્રહ કરી શકતા નથી, આથી તેઓ સર્વવિરતિ ગ્રહણ કરવારૂપ ભાવસ્તવની ભૂમિકાવાળા નથી. માટે તેઓ સંસારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે, તોપણ પરમાર્થથી સંયમનો ભાર વહન કરી શકે નહીં. ૧૩૦૬ll અવતરણિકા: अनयोरेव तु गुरुलाघवविधिमाह - અવતરણિતાર્થ : વળી આ બેના જEદ્રવ્યસ્તવ અને ભાવસ્તવના જ, ગુરુ-લાઘવની વિધિને કહે છે – ભાવાર્થ : કઈ ભૂમિકામાં ભાવસ્તવ ગુરુ છે અને દ્રવ્યસ્તવ લઘુ છે? તે દર્શાવીને ભાવસ્તવ સ્વીકારવાથી થતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy