SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૮ ટીકા : ___ अत एव द्रव्यस्तवादिभावात् निर्दिष्टो भगवद्भिः धर्मे चतुर्विधेऽपि क्रमोऽयं वक्ष्यमाणः इह-प्रवचने दानशीलतपोभावनामये धर्मे, अन्यथाऽयोगादस्य धर्मस्येति गाथार्थः ॥१३०८॥ ટીકાર્ય : આથી જ=દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ દ્રવ્યસ્તવનો પ્રારંભમાં સભાવ હોવાથી જ, અહીં= પ્રવચનમાં, દાન-શીલ-તપ-ભાવનામય ચારે પ્રકારના પણ ધર્મમાં ભગવાન વડે આ વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, ક્રમ નિર્દેશાયો છે; કેમ કે અન્યથા આ ધર્મનો અયોગ છે=આગળમાં કહેવાશે એ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવ કરીને આત્મહિત સાધી શકે છે અને બહુ વીર્યવાળા જીવો ભાવસ્તવ કરીને આત્મહિત સાધી શકે છે. આથી ફલિત થયું કે દ્રવ્યસ્તવ, ધર્મની પ્રવૃત્તિમાં આદિભાવવાળો છે. આથી જ ભગવાને દાન-શીલ-તપ-ભાવનામય ચારેય પ્રકારના ધર્મમાં આગળમાં બતાવાશે એ ક્રમ બતાવ્યો છે. તેથી પ્રથમ દાનધર્મ જ થાય, પછી જ શીલધર્મ થાય, ત્યારપછી જ તપધર્મ થાય અને ત્યારબાદ જ ભાવધર્મ થાય : આ ક્રમ મુજબ દાનધર્મને સેવ્યા વગર કોઈ શીલધર્મમાં ઉદ્યમ કરે, તો દાનધર્મ કરવા માટે પણ અસમર્થ એવો તે પુરુષ, શીલની બાહ્ય આચરણા કરવા છતાં પણ શીલધર્મને પ્રાપ્ત કરી શકતો નથી. - અહીં વિશેષ એ છે કે શુદ્ધ આત્મભાવ પ્રગટ કરવા માટેનો ઉદ્યમ કરવો એ જ ધર્મ છે, અને તે ધર્મ કરવામાં બાધક એવા કર્મો જીવમાં અનાદિકાળથી વર્તી રહ્યા છે, તેમ જ આત્મભાવોથી વિરુદ્ધ એવા અનાત્મભાવો જીવમાં અત્યંત સ્થિર થઈ ગયેલા છે. આથી તે અનાત્મભાવોનું ઉમૂલન કરીને આત્મભાવો પ્રગટ કરવાને અનુકૂળ ઉચિત વ્યાપાર કરવો એ ધર્મ છે. વળી જે જીવોને સંસારના રમ્ય-અરમ્ય પદાર્થોમાં રમ્યતા-અરમ્યતાની બુદ્ધિ થાય છે, તેઓ સર્વ ઉદ્યમથી આત્મભાવમાં જઈ શકે તેવી શક્તિવાળા નથી; છતાં તેઓને આત્મભાવમાં જવાનો અભિલાષ છે, તેથી તેઓ આત્મભાવમાં જવાનો માર્ગ બતાવનારા અને સ્વયં શુદ્ધ આત્મભાવમાં સ્થિર થયેલા એવા વીતરાગ પ્રત્યે ભક્તિવાળા થઈને, પોતાને રમ્ય લાગતી ભોગસામગ્રીમાંથી ઉત્તમ સામગ્રીનો ભગવાનની ભક્તિમાં ઉપયોગ કરે છે, જેથી તેઓમાં સંસારના ભોગના રાગ કરતાં પણ ભગવાનનો રાગ અધિક વર્તે છે. આથી આદ્ય ભૂમિકાવાળા જીવો ભગવાનની અને સુસાધુઓની ભક્તિ કરીને સંસારના ભોગાદિ પ્રત્યે નિઃસ્પૃહ ચિત્ત કરી શકે છે, પરંતુ સંપૂર્ણ બાહ્ય આરંભનો ત્યાગ કરીને સર્વત્ર નિઃસ્પૃહ ચિત્ત કરી શકતા નથી. આથી ભગવાને કહેલ છે કે દાનાદિ ધર્મો ક્રમસર પ્રાપ્ત થાય છે અને પૂર્વ-પૂર્વના ધર્મની પ્રાપ્તિ વગર ઉત્તર-ઉત્તરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ ગાથાનો અવતરણિકા સાથે સંબંધ આ રીતે છે – દ્રવ્યસ્તવ આદિમાં થનારો છે, માટે ભગવાને દાન-શીલાદિ ક્રમસર પ્રાપ્ત થાય છે, એમ કહેલ છે. તેથી ફલિત થયું કે દાનધર્મ સેવીને શીલધર્મને સ્વીકારનારા જીવો, શીલધર્મના સેવન દ્વારા રત્નત્રયીની વૃદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy