SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવતુક ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૩૦૨-૧૩૦૩ વળી જે સાધુઓ સર્વ ઉદ્યમથી ભગવાનની ભક્તિ કરીને સંસારથી પાર પામવાના અભિલાષવાળા છે, તેઓ સર્વવિરતિ ગ્રહણ કરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસંબંધી સર્વ પ્રતિબંધોનો પરિહાર કરીને, વીતરાગ થવા માટે વીતરાગના વચનઅનુસાર સર્વ સંયમની પ્રવૃત્તિ કરે છે; છતાં તેઓને પણ અનુમોદનાદિરૂપે દ્રવ્યસ્તવ હોવાથી તેઓનો સંયમરૂપ ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ છે, તેથી તેઓને દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ એવો ભાવસ્તવ છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નિયમથી પ્રધાન-ગૌણભાવથી પરસ્પર અનુવિદ્ધ છે. આથી ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવા છતાં દ્રવ્યસ્તવકાળમાં વીતરાગભાવને અભિમુખ લેશ પણ ભાવ ન હોય, તો તે દ્રવ્યસ્તવ વીતરાગની સ્તુતિરૂપ ભાવથી અનુવિદ્ધ નહીં હોવાથી, તે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં દ્રવ્યસ્તવના સ્વરૂપનો અભાવ છે, માટે તેને દ્રવ્યસ્તવ કહેવાય નહીં. વળી જે સાધુ સંસારનો ત્યાગ કરીને સંયમની ક્રિયા કરે છે, છતાં વિવેકી શ્રાવકથી કરાતા દ્રવ્યસ્તવનો પરમાર્થ જાણીને તેની અનુમોદના કરતાં નથી અને સંયમની ક્રિયાથી પણ વીતરાગગામી ભાવો કરવા માટે ઉદ્યમ કરતાં નથી, તે સાધુની સંયમની ક્રિયામાં પણ દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ ઉભય અંશનો અભાવ છે, માટે તેને સ્તવ કહેવાય નહીં. I૧૩૦રા અવતરણિકા: अनयोविधिमाह - અવતરણિકાર્ય : આ બેની વિધિને કહે છે, અર્થાત્ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના પ્રધાન-ગૌણભાવની વિધિને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સમનુવિદ્ધ જાણવા. તેથી હવે દ્રવ્યસ્તવ કોને ઉચિત છે ? અને ભાવસ્તવ કોને ઉચિત છે? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : अप्पविरिअस्स पढमो सहकारिविसेसभूअ मो सेओ । इअरस्स बज्झचाया इअरो च्चिअ एस परमत्थो ॥१३०३॥ અન્વયાર્થ: સદવિભૂસહકારી વિશેષભૂત પઢો પ્રથમ દ્રવ્યસ્તવ, મMવિઝિટ્સ-અલ્પ વિર્યવાળાને મો-શ્રેય છે. રૂગર-ઇતરને=બહુ વીર્યવાળા સાધુને, વરીથી બાહ્યના ત્યાગથી મરો વ્યિ ઇતર જ=ભાવસ્તવ જ, (શ્રેય) છે. પણ પરમભ્યો આ પરમાર્થ છે. * “ો' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : સહકારી વિશેષભૂત દ્રવ્યસ્તવ અલ્પ વીર્યવાળા શ્રાવકને શ્રેય છે, બહુ વીર્યવાળા સાધુને બાહ્યના ત્યાગથી ભાવસ્તવ જ શ્રેય છે, આ પરમાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy