SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૦૨ ગાથા: અન્વયાર્થઃ कयमित्थ पसंगेण जहोचिआ चेव दव्वभावथया । अण्णोऽण्णसमविद्धा निअमेणं होंति नायव्वा ॥१३०२॥ રૂત્થ-અહીં=દ્રવ્યસ્તવ-ભાવસ્તવના વિચા૨માં, પસંોળ=પ્રસંગ વડે યં-સર્યું. નહોત્રિમ રેવયથોચિત જ ત∞માવથયા-દ્રવ્ય-ભાવસ્તવ નિગમેળ-નિયમથી અોડાસમણુવિદ્વા=અન્યોન્ય સમનુવિદ્ધ નાયબા ઢાંતિ-જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થઃ ૨૫૯ દ્રવ્યસ્તવ-ભાવસ્તવના વિચારમાં પ્રસંગ વડે સર્યું. યથોચિત જ દ્રવ્યસ્તવ-ભાવસ્તવ નિયમથી અન્યોન્ય સમનુવિદ્ધ જ્ઞાતવ્ય થાય છે. ટીકા कृतमत्र प्रसङ्गेन द्रव्यस्तवादिविचारे, एवं यथोचितावेव प्रधानगुणभावतो द्रव्यभावस्तवावित्यन्योऽन्यसमनुविद्धौ नियमेन भवतः ज्ञातव्यौ, अन्यथा स्वरूपाभाव इति गाथार्थः ॥१३०२॥ ટીકાર્ય : અહીં=દ્રવ્યસ્તવાદિના વિચારમાં, પ્રસંગ વડે સર્યું. આ રીતે=ગાથા ૧૨૧૦થી ૧૨૨૮માં કહ્યું એ રીતે, પ્રધાન-ગુણભાવથી યથોચિત જ દ્રવ્ય-ભાવસ્તવ નિયમથી અન્યોન્ય સમનુવિદ્ધ જ્ઞાતવ્ય થાય છે. અન્યથા સ્વરૂપનો અભાવ થાય=દ્રવ્યસ્તવ ભાવસ્તવથી અનુવિદ્ધ ન હોય અને ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ ન હોય તો સ્તવના સ્વરૂપનો અભાવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે, ત્યાં પ્રાસંગિક શંકા થઈ કે જેમ દ્રવ્યસ્તવને કહેનાર સર્વજ્ઞવચન છે, માટે સર્વજ્ઞવચન અનુસારે દ્રવ્યસ્તવ કરવામાં થતી હિંસા દોષરૂપ નથી; તેમ યજ્ઞને કહેનાર વેદવચન છે, માટે વેદવચન અનુસારે યજ્ઞ કરવામાં થતી હિંસા પણ દોષરૂપ નથી, એમ જૈનોએ સ્વીકારવું જોઈએ. તેનું અત્યાર સુધી ગ્રંથકારે નિરાકરણ કર્યું, હવે તે સર્વ કથનનું ગ્રંથકારશ્રી નિગમન કરે છે Jain Education International દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના વિચારમાં પ્રાસંગિક કથનથી સર્યું. વળી પ્રાસંગિક કથનની પૂર્વે ગાથા ૧૨૧૦માં ગ્રંથકારે સ્થાપન કરેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્ધ છે, અને ત્યારપછી તે બંને પરસ્પર સમવિદ્ધ કઈ રીતે છે ? તેની ગ્રંથકારે ગાથા ૧૨૨૮ સુધી પુષ્ટિ કરી, તેથી શું ફલિત થયું ? તે બતાવતાં કહે છે - — - પોતાની ભૂમિકા અનુસાર ઔચિત્યથી જ પ્રધાન-ગૌણભાવથી દ્રવ્યસ્તવ-ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્વ છે. આથી દ્રવ્યસ્તવના અધિકારી જીવો દ્રવ્યસ્તવમાં યત્ન કરે તો તે પ્રવૃત્તિ તેઓ માટે ઉચિત કહેવાય, અને શ્રાવકની પ્રવૃત્તિમાં પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ છે અને ગૌણરૂપે ભાવસ્તવ છે; કેમ કે વિવેકી શ્રાવક દ્રવ્યસ્તવકાળમાં ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીને, ભગવાનના વીતરાગાદિ ભાવોની સ્તુતિ કરીને, તે વીતરાગાદિ ભાવોથી આત્માને વાસિત કરવા માટે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, જે ભાવસ્તવથી અનુવિદ્ધ એવો દ્રવ્યસ્તવ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy