SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૦-૧૩૦૧, ૧૩૦૨ અહીં વિશેષ એ છે કે વેદવચનથી જે યાગીય હિંસા કરાય છે, તેમાં સ્વર્ગરૂપ પોતાના ભૌતિક ફળ અર્થે અન્ય જીવોના વધમાં પ્રવૃત્તિ થાય છે, વળી તેનાથી મોક્ષમાર્ગને ઉપષ્ટભક એવા કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી, તેથી યાગીય હિંસા પરંપરાએ પણ અહિંસાનું કારણ નથી; તેમ જ યજ્ઞ કરતી વખતે યજ્ઞ કરનારના હૈયામાં પોતાના તુચ્છ સ્વાર્થ માટે અન્ય જીવોને થતી પીડા પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, આથી યજ્ઞ કરવામાં હિંસારૂપ દોષની પ્રાપ્તિ થાય છે. - જ્યારે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ સંસારની કામનાથી થતી નથી, પરંતુ હિંસામય જીવનમાં રહેલા શ્રાવકને હિંસાની નિવૃત્તિના ઉપાયભૂત ભાવસ્તવની પ્રાપ્તિ માટેની શક્તિનો સંચય કરવા અર્થે થાય છે; કેમ કે જો શ્રાવક દ્રવ્યસ્તવમાં યત્ન ન કરે તો, દ્રવ્યસ્તવ કરવાથી જે હિંસા થાય છે તે હિંસા, બાહ્ય રીતે અટકી એમ દેખાય; પરંતુ તે વખતે પણ શ્રાવક, સંસારનું જે પણ કાર્ય કરે છે તેમાં તો હિંસા થાય જ છે અને ભાવસ્તવપ્રાપ્તિની શક્તિનો સંચય પણ થતો નથી. તેથી દ્રવ્યસ્તવ કરવામાં ન આવે તો સ્થૂલથી હિંસાનો અભાવ દેખાવા છતાં, ભાવસ્તવની પ્રાપ્તિથી જે અહિંસા થવાની હતી, તેનો પણ અભાવ પ્રાપ્ત થાય છે. વળી વિવેકપૂર્વક દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકને ષકાયના પાલન પ્રત્યે બદ્ધરાગ હોય છે, અને તે પકાયના પાલનરૂપ ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાય તરીકે શ્રાવક દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરીને, ગૃહના આરંભથી નિવર્તન પામે છે, જેના કારણે તે શ્રાવકમાં અંતરંગ રીતે નિરારંભ પ્રવૃત્તિ પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી સંપૂર્ણ નિરારંભી જીવન જીવવાને અનુકૂળ શક્તિના સંચય અર્થે કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપે છે; કેમ કે તે હિંસા ભૌતિક કામનાથી થયેલી નથી, પરંતુ પોતાના ચિત્તમાં વર્તતા નિરારંભભાવ પ્રત્યેના પક્ષપાતથી નિરારંભી જીવનપ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવમાં યત્ન કરવાને કારણે થયેલી છે. માટે જ દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવો પ્રત્યે પણ વિવેકી શ્રાવકને દયાનો પરિણામ વર્તતો હોય છે, તેથી તે અશક્યપરિહારરૂપે થતી દ્રવ્યસ્તવની હિંસામાં લેશ પણ હિંસાના ફળની પ્રાપ્તિ થતી નથી. વસ્તુતઃ અંતરંગ રીતે વર્તતો હિંસકભાવ જ હિંસાના ફળની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે અને દ્રવ્યસ્તવમાં અંતરંગ રીતે લેશ પણ હિંસકભાવ વર્તતો નથી, પરંતુ સંપૂર્ણ અહિંસકભાવરૂપ સંયમની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યસ્તવને સેવવાનો પરિણામ વર્તે છે, માટે દ્રવ્યસ્તવમાં હિંસાના અદોષની પ્રાપ્તિ છે; જ્યારે સ્વર્ગની કામનાથી કરાતા યજ્ઞમાં સ્વાર્થ માટે અન્ય જીવોની હિંસાની પ્રવૃત્તિ હોવાથી અંતરંગ રીતે હિંસકભાવ વર્તે છે, માટે યજ્ઞમાં હિંસાના ફળની પ્રાપ્તિ છે. જેમ વૈદકશાસ્ત્રમાં ભિન્ન અર્થમાં દાહનો નિષેધ છે અને ભિન્ન અર્થમાં દાહની વિધિ છે. ત્યાં જે અર્થમાં દાહની વિધિ છે, તે ચિકિત્સામાં દાહ કરવાથી આરોગ્યરૂપ ફળની પ્રાપ્તિ થતી હોવા છતાં દાહની પીડારૂપ દોષ પણ પ્રાપ્ત થાય છે, તેમ વેદવિહિત હિંસાનો નિષેધ મોક્ષઅર્થક છે અને વિધિ સ્વર્ગઅર્થક છે, તેથી યાગીય હિંસાથી સ્વર્ગરૂપ ફળ પ્રાપ્ત થાય તોપણ હિંસાકૃત દોષ પણ પ્રાપ્ત થાય છે. ૧૩૦૦/૧૩૦૧. અવતરણિકા: ગાથા ૧૨૧૦માં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સમનુવિદ્ધ છે, અને તેની પુષ્ટિ ગાથા ૧૨૨૮ સુધી કરીને ગાથા ૧૨૨૯માં ગ્રંથકારે પૂર્વપક્ષનું ઉલ્કાવન કરતાં કહ્યું કે દ્રવ્યસ્તવમાં કરાતી હિંસા જો દોષકારી ન હોય, તો વેદવિહિત એવી યજ્ઞમાં કરાતી હિંસા પણ દોષકારી નથી, એમ માનવું પડશે. એ રૂપ પ્રાસંગિક કથનની ૧૩૦૧ સુધી ચર્ચા કરી; હવે તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy